Dadasaheb Phalke Award: સાઉથનાં સુપરસ્ટાર Rajnikanthને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયતની જાહેરાત

Dadasaheb Phalke Award: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર Rajnikanthને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.

Dadasaheb Phalke Award: સાઉથનાં સુપરસ્ટાર Rajnikanthને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયતની જાહેરાત
Rajnikanth
| Edited By: | Updated on: Apr 01, 2021 | 11:07 AM

Dadasaheb Phalke Award:  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર Rajnikanthને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

આપને જણાવી દઇએ કે રજનીકાંતનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. બાળપણમાં તેમમે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. રજનીકાંતનું અસલીનામ શિવાજી રાવ ગાયકવાડ હતુ. આ જ શિવાજીરાવ આજે રજનીકાંત બન્યા છે. રજ્નીકાંત 5 વર્ષના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થયુ હતું. માતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઇ. રજનીકાંત માટે ઘર ચલાવવું સરળ ન હતું. તેમણે ઘર ચલાવવા માટે કૂલીનુ કામ પણ કર્યુ

રજનીકાંત ફિલ્મોમાં આવ્યા તે પહેલા કંડકટરની નોકરી કરતા હતા. રજ્નીકાંતે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાલચંદ્રની ફિલ્મ અપૂર્વા રાગનગાલમા એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મમાં કમલ હાસન અને શ્રી વિધા પણ હતી. રજનીકાંતે પોતોના અભિનયની શરુઆત કન્ન઼ડ નાટકોથી કરી હતી. દુર્યોધનની ભૂમિકામાં રજનીકાંત ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા.

 

Follow Us
Loading...
Unable to load recommendations.