Amitabh bachchan Accident : અમિતાભ બચ્ચને કર્યો હતો મોટો ખુલાસો, કુલી ફિલ્મના અકસ્માત બાદ નથી પકડી શકાતી પલ્સ રેટ !

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ના શૂટિંગ દરમિયાન હૈદરાબાદમાં ઘાયલ થયા છે.

Amitabh bachchan Accident : અમિતાભ બચ્ચને કર્યો હતો મોટો ખુલાસો, કુલી ફિલ્મના અકસ્માત બાદ નથી પકડી શકાતી પલ્સ રેટ !
Amitabh Bachchan
| Edited By: | Updated on: Mar 06, 2023 | 11:12 AM

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 13’ના (Kaun Banega Crorepati 13)ના એપિસોડમાં અમિતાભ બચ્ચને પોતાની પલ્સ રેટને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તે સમયે સિરિયલ ‘ધડકન જિંદગી કી’માં ડૉક્ટર દીપિકાનું પાત્ર ભજવતી ટીવી અભિનેત્રી અદિતિ ગુપ્તા (Additi Gupta) હોટસીટ પર બેઠી હતી. આ દરમિયાન, તેણે બિગ બીને વિનંતી કરી કે તે તેમનો પલ્સ રેટ તપાસવા માંગે છે. અદિતિ વ્યવસાયે અભિનેત્રી છે, પરંતુ હાલમાં સિરિયલમાં ભજવી રહેલા ‘દીપિકા’ના પાત્ર માટે તેણે મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલી કેટલીક બાબતો શીખી હતી અને તેમાંથી એક પલ્સ રેટ ચેક કરવાની ઈચ્છા જતાવે છે.

અમિતાભ બચ્ચન પલ્સ રેટ નથી પકડી શકાતી!

જ્યારે અદિતિએ અમિતાભ બચ્ચનનો હાથ તેના પલ્સ રેટ જોવા માટે તેના હાથમાં માંગ્યો, ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તે તેના કાંડાની ‘વિન્ડ પાઈપ’ વડે કોઈ ધબકારાને અનુભવી શકી ન હતી. અદિતિને આશ્ચર્યમાં જોઈને અમિતાભ બચ્ચને તેની પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે 1982માં ‘કુલી’ના સેટ પર એક્શન કરતી વખતે મારો અકસ્માત થયો હતો. મારી સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ડૉક્ટરોએ મને ‘ક્લિનિકલ ડેડ’ જાહેર કર્યો હતો.

અમિતાભ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે ‘ક્લીનીકલી ડેડ’ જાહેર કર્યા બાદ તેમને ફરીથી જીવિત કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના શરીરમાંથી ઘણી વસ્તુઓ કપાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં દર અડધા કલાકે અમિતાભ બચ્ચનના કાંડામાંથી લોહી કાઢવામાં આવતું હતું અને તેનો ટેસ્ટ કરવામાં આવતો હતો. કાંડા કપાવાને કારણે તેમની નાડી બંધ થઈ ગઈ હતી. અત્યારે તેમના ગળામાંથી પલ્સ રેટ ચેક કરવામાં આવે છે. આ વાત કહ્યા બાદ અમિતાભ બચ્ચને મજાકમાં અદિતિને કહ્યું કે પણ હું તને મારા ગળાને સ્પર્શવા નહીં દઉં.

પલ્સ રેટને લઈને બચ્ચનનો ખુલાસો

આ પહેલા પણ કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં અમિતાભ બચ્ચને તેમના પલ્સ રેટ વિશે એક રમુજી ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે “હું ઘણી વખત મારી નાડી તપાસવાને લઈને અન્ય લોકો સાથે મજાક કરું છું અને પછી જ્યારે તેઓ તેને શોધી શકતા નથી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થાય છે અથવા ગભરાઈ જાય છે. મને તે ક્યારેક રમુજી લાગે છે.” જ્યારે અમિતાભ બચ્ચનને કોરોના પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની સંભાળ રાખતી નર્સ પલ્સ ચેક કરતા ઘણી વાર ગભરાઈ જતી હતી.

Published On - 11:10 am, Mon, 6 March 23