TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Sep 08, 2021 | 11:30 AM
આજનો દિવસ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) માટે દુખ લઈને આવ્યો છે. અભિનેતાની માતા અરુણા ભાટિયાનું (Aruna Bhatia) આજે નિધન થયું છે.
ખિલાડી કુમારે ખુદ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને ચાહકોને પોતાની માતાના મૃત્યુની માહિતી આપી છે.
અક્ષય તેની માતાની ખૂબ નજીક હતો, અભિનેતા તેની માતા સાથેના ખાસ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતો હતો.
આવી સ્થિતિમાં, આજે તેની માતાના અવસાનથી અભિનેતાના જીવનમાં એક મોટો ખાડો પડી ગયો છે.
તમને જણાવી દઈએ કે અક્ષયની માતાનું તેના જન્મદિવસના એક દિવસ પહેલા અવસાન થયું છે. આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બર ખિલાડી કુમારનો જન્મદિવસ છે.
તમને જણાવી દઈએ કે અક્ષય તાજેતરમાં જ તેની માતાની બીમારી વિશે માહિતી મેળવીને વિદેશથી પરત આવ્યો હતો. અભિનેતાની માતાને તાજેતરમાં ICU માં દાખલ કરવામાં આવી હતી.