મનોજ જોશીને ઈન્ડીગો એરલાઈન્સ પર આવ્યો ગુસ્સો, Twitter પર કાઢ્યો બળાપો

બોલીવૂડના ફેમસ એક્ટર મનોજ જોશીને વિમાન મુસાફરી દરમિયાન અગવડનો સામનો કરવો પડ્યો હતો. મનોજ જોશી અમદાવાદથી દિલ્હી જઈ રહ્યા હતા.

મનોજ જોશીને ઈન્ડીગો એરલાઈન્સ પર આવ્યો ગુસ્સો, Twitter પર કાઢ્યો બળાપો
Manoj Joshi got angry on IndiGo
| Edited By: | Updated on: Jan 06, 2021 | 3:46 PM

બોલીવૂડના ફેમસ એક્ટર અને મૂળ ગુજરાતી મનોજ જોશીને વિમાન મુસાફરી દરમિયાન અગવડનો સામનો કરવો પડ્યો હતો. 5 જાન્યુઆરીએ મનોજ જોશી અમદાવાદથી દિલ્હી ટ્રાવેલ કરી રહ્યા હતા. ત્યારે મુસાફરી દરમિયાન એક એવી ઘટના ઘટી કે જેને લઈને  મનોજ જોશીને ટ્વિટ કરવું પડ્યું.

મનોજ જોશીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ ઈન્ડીગોથી ટ્રાવેલ કરી રહ્યા હતા અને થોડું ફૂડ નીચે પડ્યું હતું. જ્યારે તેમણે સ્ટાફને ટીસ્યુ પેપર આપવા રીક્વેસ્ટ કરી ત્યારે સ્ટાફએ કોઈ પ્રતિક્રિયા નોહતી આપી. મનોજ જોશીએ ટ્વિટર પર બળાપો કાઢ્યો અને કહ્યું કે ઈન્ડીગોના સ્ટાફને ટ્રેનીંગની જરૂર છે.