Aashram : Prakash Jhaની મુશ્કેલીઓ ઓછી થઈ, રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત

|

Feb 17, 2021 | 3:10 PM

Aashramને લઈ રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે જે બાદ પ્રકાશ ઝાની મુશ્કેલીઓ ઓછી થઈ છે. પ્રકાશ ઝા પર સખ્તાઇભર્યું પગલું ભર્યું ન હતું અને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.

Aashram : Prakash Jhaની મુશ્કેલીઓ ઓછી થઈ, રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત
Aashram

Follow us on

પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ આશ્રમની રજૂઆત પહેલા અને પછીની ચર્ચાનો એક વિષય હતી. વેબ સીરીઝ પર દલિત ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો, જેના કારણે જોધપુરની પશ્ચિમમાં લુણી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ ઝા સામે એફઆઈઆર નોંધાઈ હતી. આ એફઆઈઆરને પડકારતી અરજીની રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. જે બાદ પ્રકાશ ઝાની મુશ્કેલીઓ ઓછી થઈ છે.

કોર્ટે આ અરજી પર સખ્તાઇભર્યું પગલું ભર્યું ન હતું અને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. જસ્ટિસ મનોજકુમાર ગર્ગની ખંડપીઠે અરજદાર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે અને તેઓને આ મામલામાં છ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

તમને જણાવી દઈએ કે, વેબ સિરીઝ આશ્રમના પહેલા એપિસોડમાં દલિત સમાજના વરરાજાના લગ્ન માટે ઘોડા પર બેસવાને કારણે ઉચ્ચ જાતિના લોકો દ્વારા અપમાન કરવામાં આવ્યા હોવાના દ્રશ્ય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ પ્રકાશ ઝા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિર્માતાએ જાણી જોઈને શ્રેણીમાં આવી જાતીય ટિપ્પણીઓને શામેલ કરી છે.

પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી

કરણી સેનાએ માંગ કરી હતી કે શ્રેણી પર પ્રતિબંધ મુકવામાં આવે. તેમણે કહ્યું કે આ હિન્દુ ધર્મનું અપમાન છે. આવી સ્થિતિમાં પ્રકાશ ઝાએ હવે કરણી સેનાને જવાબ આપ્યો હતો. એક ઈન્ટરવ્યુંમાં વાત કરતી વખતે પ્રકાશ ઝાએ કહ્યું હતું કે, ‘હું તેમની માંગ અંગે નિર્ણય લેનાર કોણ છું. મને લાગે છે કે નિર્ણય લેવા માટે પ્રેક્ષકો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શા માટે આપણે પ્રેક્ષકોને પણ તેનો નિર્ણય લેવા દેતા નથી.

આશ્રમ શ્રેણી ધર્મની આડમાં છુપાયેલા ગુનાઓ અને ભ્રષ્ટાચારની આસપાસ ફરે છે. બોબી કાશીપુર સ્થિત બાબા નિરાલાના પાત્રમાં છે અને ભોપા સ્વામી તરીકે તેમના સાથી અને વિશ્વાસુ છે, બોબી દેઓલ ઉપરાંત શ્રેણીમાં અદિતી પોહંકર, ચંદન રૉય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, અધ્યયન સુમન અને અન્ય ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ શ્રેણીની 2 સીઝન રિલીઝ થઈ ગઈ છે, હવે પ્રેક્ષકો આતુરતાથી ત્રીજી સીઝનની રાહ જોઇ રહ્યા છે.

Next Article