શું તેજસ્વી પ્રકાશ તેના બોયફ્રેંડ સાથે લગ્ન કરવા જઇ રહી છે?? અભિનેત્રીએ જણાવી આ વાત

'નાગિન 6' ફેમ લોકપ્રિય અભિનેત્રી તેજસ્વી પ્રકાશ તેની શાનદાર એક્ટિંગ ઉપરાંત, તેના બોયફ્રેંડ કરણ કુન્દ્રા સાથેના રિલેશનશિપને લીધે પણ સતત ચર્ચાઓમાં બની રહે છે. તાજેતરમાં તેણીએ તેના લગ્ન વિષે એક ખાસ વાત જણાવી છે.

શું તેજસ્વી પ્રકાશ તેના બોયફ્રેંડ સાથે લગ્ન કરવા જઇ રહી છે?? અભિનેત્રીએ જણાવી આ વાત
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:34 PM

તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) એ ટેલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક ગણાય છે. તેજસ્વી પ્રકાશ ‘બિગ બોસ 15’ અને ‘નાગિન 6’માં (Naagin 6) તેના અભિનય વડે આજે દરેક લોકોના દિલ પર રાજ કરી રહી છે. તેજસ્વી પ્રકાશ આજકાલ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા (Karan Kundra) સાથે તેની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. તેના વફાદાર ફેન્સ હવે બહુ જલ્દી તેને કરણ કુન્દ્રાની પત્ની તરીકે જોવા માંગે છે. તેજસ્વી પ્રકાશે તાજેતરમાં એક ન્યૂઝ પેપરને આપેલી મુલાકાતમાં તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે તેની લગ્ન કરવાની છે કે નહી, તે અંગે આ ખાસ વાત જણાવી હતી.

સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલા એક વીડિયોમાં તેજસ્વી પ્રકાશ કહેતા જોવા મળે છે કે, “તે (કરણ કુન્દ્રા) શૂટિંગ કરી રહ્યો છે અને હું અહી છું. પણ તમે અમને જલ્દી જ સાથે જોશો.” બિગ બોસ 15 પર તેણીને કરણ કુન્દ્રા સાથે પ્રેમ થયો અને ત્યારથી તેઑ બંને ચાહકોના પ્રિય છે. તેણે હવે મીડિયા સાથેની વાતચીતમાં કરણ કુન્દ્રા સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે.

તાજેતરની એક મુલાકાતમાં, તેજસ્વીએ કરણ સાથેના તેના લગ્નની યોજનાઓ વિશે ખુલાસો કર્યો છે. તેણીએ કહ્યું કે અમે અમારા કામ પર ધ્યાન આપી રહ્યા છે અને આ એવા વિષયો નથી કે જેની ફોન પર ચર્ચા થઈ શકે. લગ્ન માટે સમય શોધવાની જરૂર છે અને પછી, જો જરૂરી હોય તો, કંઈક ગોઠવી શકે છે. કુન્દ્રાએ દરેકને જાણ કરી છે કે અમે માર્ચમાં કંઈક કરીશું. ત્યારથી માર્ચનું મહત્વ વધ્યું છે. હવે લોકો પૂછે છે કે, માર્ચ ખતમ થઈ ગયો છે, પણ તમે હવે ક્યારે લગ્ન કરશો?”

તેણીએ ઉમેર્યું હતું કે, તે માર્ચમાં લગ્ન કરવા માંગે છે. ”પરંતુ અમને ખબર ન હતી કે તે આટલું ક્રેઝી હશે. કરણનું ચાલે તો તે તો આજે જ મારી સાથે લગ્ન કરી લેવા માંગે છે. પરંતુ તે હાલમાં શક્ય નથી.”

તેજસ્વીએ એ પણ ખુલાસો કર્યો કે, તે ટૂંક સમયમાં જ કરણ સાથે ઓન-સ્ક્રીન કામ કરશે. જ્યારે પૂછવામાં આવ્યું કે સંબંધોમાં વ્યક્તિઓને તે શું સલાહ આપશે, ત્યારે નાગિન 6 અભિનેત્રીએ ટિપ્પણી કરી કે, ”લોકોએ જેમ છે તેમ પોતાના પાર્ટનરને સ્વીકારવા તૈયાર હોવા જોઈએ. તમે જે કરી શકો તે શ્રેષ્ઠ બાબત એ છે કે તમારા સંબંધને જે રીતે છે તે રીતે સ્વીકારો. તમારા જીવનસાથીને છોડશો નહીં.” તેણીએ એ પણ ઉલ્લેખ કર્યો કે લોકોને તમારી રિલેશનશિપમાં વિશ્વાસ હોવો જોઈએ.

થોડા દિવસો પહેલા કરણે આરજે સિદ્ધાર્થ કન્નન સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેણે અને તેજાએ લગ્નની વાત કરી છે. તેણે ઉમેર્યું, “અમારા પહેલા લગ્ન છે કે જેની સમગ્ર ભારતે પુષ્ટિ કરી છે. કોઈ અમને તેના વિશે પૂછતું નથી.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ‘નાગિન 6’ અભિનેત્રી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, તો કરણે કહ્યું કે, “હું બિગ બોસ દરમિયાન જ તૈયાર હતો.”

આ પણ વાંચો – Grammy Awards 2022 : ભારતીય અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહ અને સંગીતકાર રિકી કેજને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, આ કેટેગરી માટે મળ્યો એવોર્ડ

Follow Us