Karnataka Assembly Election: ‘ધ કેરલા સ્ટોરી’ કોઈ રાજ્યની સ્ટોરી નથી… કર્ણાટક ચૂંટણી પ્રચારમાં બોલ્યા PM મોદી, જુઓ VIDEO

પીએમ મોદીએ પોતાના ભાષણમાં 'ધ કેરલા સ્ટોરી'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પર પ્રતિબંધ મૂકવામાં આવે.

Karnataka Assembly Election: ધ કેરલા સ્ટોરી કોઈ રાજ્યની સ્ટોરી નથી... કર્ણાટક ચૂંટણી પ્રચારમાં બોલ્યા PM મોદી, જુઓ VIDEO
PM Modi said The Kerala Story is not the story of a state
| Edited By: | Updated on: May 05, 2023 | 4:16 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બલ્લારીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે પોતાના ભાષણની શરૂઆત જય બજરંગ બલીના નારા સાથે કરી હતી. પીએમ મોદીએ કોંગ્રેસને ઘેરી હતી અને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પૈસાના જોરે ખોટા નિવેદનો બનાવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ‘ધ કેરલા સ્ટોરી’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

પીએમએ ભાષણમાં કર્યો ધ કેરાલા સ્ટોરીનો ઉલ્લેખ

લોકોને સંબોધતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ આતંકવાદી વલણો સાથે રાજકીય સોદાબાજી કરી રહી છે. આજકાલ ‘ધ કેરલા સ્ટોરી’ની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં આતંકવાદી ષડયંત્રનો ખુલાસો થયો છે. કોંગ્રેસ હવે આના પર રાજકીય સોદાબાજી કરી રહી છે. તેમણે કહ્યું કે જનતા કોંગ્રેસનો ઈરાદો સમજે છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવે. પણ જનતા બધું સમજી રહી છે. લોકોએ કોંગ્રેસથી સાવચેત રહેવાની જરૂર છે.

‘ધ કેરલા સ્ટોરી’ કોઈ રાજ્યની સ્ટોરી નથી

વડાપ્રધાન મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે બોમ્બ-ગન અને પિસ્તોલનો અવાજ સંભળાય છે. પરંતુ સમાજને પોકળ બનાવવાના આતંકવાદી કાવતરાનો કોઈ અવાજ સંભળાતો નથી. આ જ કારણ છે કે કોર્ટે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રકારના આતંકવાદી કાવતરા પર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બનાવવામાં આવી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું આ માત્ર એક રાજ્યની વાર્તા નથી. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં આતંકવાદી ષડયંત્રોને કેવી રીતે પોષવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યની ઓળખ તેના મહેનતુ, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી લોકો છે. ત્યારે આ લોકોને ઠગીને કેવી રીતે ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા. આ ફિલ્મમાં આતંકવાદી ષડયંત્રનો ખુલાસો થયો છે.

કોંગ્રેસને ઘેરતા તેમણે કહ્યું કે દેશની કમનસીબી જુઓ કે આજે કોંગ્રેસ આ આતંકવાદી વલણ સાથે ઉભી જોવા મળી રહી છે જે સમાજને બરબાદ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસે આવી આતંકવાદી વૃત્તિઓ ધરાવતા લોકો સાથે પાછલા બારણે રાજકીય સોદા કર્યા છે.

Published On - 4:08 pm, Fri, 5 May 23