Assembly Elections 2022: ચૂંટણી પંચે આપી વધુ છૂટછાટ, પક્ષો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરી શકશે પ્રચાર

આગામી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે શનિવારે પ્રચારની જોગવાઈઓમાં વધુ છૂટછાટ આપી છે.

Assembly Elections 2022: ચૂંટણી પંચે આપી વધુ છૂટછાટ, પક્ષો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરી શકશે પ્રચાર
Election Commission (file photo)
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:49 PM

આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly Elections 2022) માટે ચૂંટણી પંચે (Election Commission) શનિવારે પ્રચારની જોગવાઈઓમાં વધુ છૂટછાટ આપી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો હાલની તમામ સૂચનાઓને અનુસરીને સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રચાર (Campaigning) કરી શકશે. આયોગે સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ (SDMAs) ની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણી રાજ્યોમાં પદયાત્રાઓને મંજૂરી આપી છે. અગાઉ કમિશને રોડ શો, પદયાત્રા, વાહન રેલી અને સરઘસો પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો હતો, પરંતુ તમામ તબક્કાઓ માટે ડોર-ટુ-ડોર પ્રચારકો અને જાહેર સભાઓની સંખ્યા સંબંધિત નિયમોમાં છૂટછાટ આપી હતી.

આપવામાં આવેલી છૂટ હેઠળ, ડોર-ટુ-ડોર પ્રચાર કરનારા લોકોની સંખ્યા 10 થી વધારીને 20 કરવામાં આવી છે અને વધુમાં વધુ 1,000 લોકો હવે જાહેર સભાઓમાં ભાગ લઈ શકશે. કમિશને ઇન્ડોર મીટિંગ્સમાં હાજરી આપનારા લોકોની મહત્તમ સંખ્યા પણ વર્તમાન 300 થી વધારીને 500 કરી છે. જો કે, રાજ્યના અધિકારીઓએ કહ્યું હતું કે કોવિડ પ્રોટોકોલ સાવચેતી ચાલુ રાખવાની જરૂર છે જેથી રાજકીય પ્રવૃત્તિઓને કારણે ચેપના કેસોમાં કોઈ વધારો ન થાય.

કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ટાંકીને, પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુર માટે મતદાનના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે શારીરિક રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. કમિશન સમયાંતરે રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને કેટલીક છૂટછાટ આપી રહ્યું છે.

પાંચેય રાજ્યોમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ રાજ્યોમાં મોટા પાયે બેઠકો યોજી છે. દરેક પાર્ટી મતદારોને આકર્ષવા માટે દરેક યુક્તિ અજમાવી રહી છે. ચૂંટણી સિવાયના રાજ્યોમાંથી કોરોનાના વધુ કેસો નોંધાઈ રહ્યા હોવા છતાં, દેશમાં કુલ નોંધાયેલા કેસોમાં ચૂંટણી રાજ્યોનો ફાળો ઘણો ઓછો છે.

કોવિડના આંકડાઓની વાત કરીએ તો 21 જાન્યુઆરીએ લગભગ 3.47 લાખ આવ્યા હતા, જે શનિવારે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ઘટીને લગભગ 50,000 થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં કુલ કોરોના કેસની સંખ્યા 22 જાન્યુઆરીએ 32,000 થી વધુ હતી, જે 12 ફેબ્રુઆરીના રોજ ઘટીને 3,000 આસપાસ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: Uttarakhand Election: CM યોગીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો, કહ્યું- કોઈ લાવારિસ હોય ત્યારે તેની કોંગ્રેસ જેવી જ હાલત થાય છે

આ પણ વાંચો: UP Election 2022 : 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણી અગ્નિ પરીક્ષા, જાણો કોણ છે 9 જિલ્લાની 55 બેઠકો પર ઉમેદવાર