School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

|

Mar 24, 2022 | 3:58 PM

પ્રશાસને એક આદેશ જાહેર કરીને શાળાના શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આદેશ મુજબ, શિક્ષકોએ વર્ગોમાં પ્રવેશતા પહેલા તેમના ફોન આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે.

School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

School Teacher Mobile Ban: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લા પ્રશાસને એક આદેશ જાહેર કરીને શાળાના શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિનય શંકર પાંડેએ શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ “કડક પગલાં” લેવાની ચેતવણી આપી છે. શંકર પાંડેએ જણાવ્યું છે કે, તે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને (Haridwar school) લાગુ પડશે. આદેશ મુજબ, શિક્ષકોએ વર્ગોમાં પ્રવેશતા પહેલા તેમના ફોન આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે. તેમણે કહ્યું, અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે શિક્ષકો વર્ગોમાં પણ તેમના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે.

અમે તેમની પ્રવૃત્તિઓ જેવી કે ગેમ રમવી, ચેટિંગ કરવાની વાતોને ધ્યાનમાં લીધી છે. કારણ કે અમને ઘણા સમયથી વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી ફરિયાદો મળી રહી છે. અમે ફરિયાદોની ચકાસણી માટે અમારા મેજિસ્ટ્રેટને મોકલ્યા છે. અમે આદેશ જાહેર કર્યો છે કે શિક્ષકો તેમના મોબાઈલ ફોન શાળાઓમાં લઈ જઈ શકે છે પરંતુ તેઓએ તેને આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે. તેઓ તેમના મોબાઈલ ફોન વિના વર્ગમાં પ્રવેશ કરશે.

ઈમરજન્સીમાં ફોનનો ઉપયોગ કરી શકો છો

ડીએમએ કહ્યું કે, શિક્ષકના પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં છૂટ આપી શકાય છે. તેમણે કહ્યું, તેના અમલીકરણની ખાતરી કરવાની જવાબદારી આચાર્યની રહેશે. જો કે, કુટુંબમાં સ્વાસ્થ્ય સંબધીત જેવા વિશેષ સંજોગોમાં, શિક્ષક આચાર્ય પાસેથી પરવાનગી લઈ શકે છે અને તેનો/તેણીનો ફોન રાખી શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

તેમણે કહ્યું કે, અમારા ઓચિંતા નિરીક્ષણમાં જો કોઈ શિક્ષક વર્ગખંડની અંદર મોબાઈલ ફોન કે ફોન રાખતો જણાશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે અને તેની જવાબદારી પણ આચાર્યએ લેવાની રહેશે. આ આદેશનો અમલ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: NCHM JEE 2022 Exam: NTA NCHM JEE પરીક્ષાની તારીખ લંબાવાઈ, અહીં તપાસો તમામ વિગતો

આ પણ વાંચો: UPSC Exam: કોરોનાને કારણે UPSC પરીક્ષા આપી શક્યા નહોતા, આયોગે સુપ્રીમ કોર્ટને Re-exam અંગે આપી માહિતી

Next Article