સુરતમાં ઘારીના વેચાણમાં ઘટાડો નોંધાવાની વેપારીઓની ધારણાં, વેપારીઓએ ઘારી બનાવવાની માત્રા ઘટાડી

‘ચંદી પડવો’ એ સુરતીઓ માટે મોટો તહેવાર છે. અને આ તહેવાર નિમિત્તે ઘારીનું વેચાણ મોટાપાયે થતું હોય છે. પણ આ વખતે ઘારી પર કોરોના ભારે પડી રહ્યો છે. કોરોનાના કારણે લોકો તહેવારની ઉજવણીમાં કાપ મૂકશે તેવું લાગતા મીઠાઈના વેપારીઓએ પણ ઘારી બનાવવાની માત્રા ઘટાડી દીધી છે. સુરતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી માટે ભારે ભીડ […]

સુરતમાં ઘારીના વેચાણમાં ઘટાડો નોંધાવાની વેપારીઓની ધારણાં, વેપારીઓએ ઘારી બનાવવાની માત્રા ઘટાડી
| Updated on: Oct 28, 2020 | 4:41 PM

‘ચંદી પડવો’ એ સુરતીઓ માટે મોટો તહેવાર છે. અને આ તહેવાર નિમિત્તે ઘારીનું વેચાણ મોટાપાયે થતું હોય છે. પણ આ વખતે ઘારી પર કોરોના ભારે પડી રહ્યો છે. કોરોનાના કારણે લોકો તહેવારની ઉજવણીમાં કાપ મૂકશે તેવું લાગતા મીઠાઈના વેપારીઓએ પણ ઘારી બનાવવાની માત્રા ઘટાડી દીધી છે. સુરતમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી માટે ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ ચંદી પડવોના તહેવારમાં મીઠાઈના વેપારીઓએ ગત વર્ષની સરખામણીમાં 30 ટકા ઓછી ઘારી બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરતના મીઠાઈના વેપારીઓ, શહેરની મોટી ડેરી, તથા અન્ય સીઝનલ વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઘારી બનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઘારી બનાવવા પ્રક્રિયા ઘણી જ ધીમી જોવા મળી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો