Walnut Cultivation: અખરોટની ખેતીથી ચમકી રહ્યું છે ખેડૂતોનું નસીબ, થાય છે અઢળક કમાણી

|

Oct 18, 2021 | 1:05 PM

Walnut Cultivation in Kashmir: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરનું પાંચારી ગામ ખેડૂત પ્રધાન વિસ્તાર ગણાય છે. અહીંના ખેડૂતો અગાઉ પરંપરાગત ખેતી પર નિર્ભર હતા પરંતુ થોડા સમયથી અખરોટની ખેતીથી લાખોનો નફો મેળવી રહ્યા છે.

Walnut Cultivation: અખરોટની ખેતીથી ચમકી રહ્યું છે ખેડૂતોનું નસીબ, થાય છે અઢળક કમાણી
walnut Farming

Follow us on

કેન્દ્ર સરકાર ખેડૂતોની (Farmers) આવક બમણી કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે. આ માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) આગામી સમયમાં ખેડૂતોની આવક વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા પર પણ ભાર આપી રહ્યા છે. આ માટે આવી ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. જેથી ખેડૂતો નફાકારક પાક લેવાની આદત કેળવી શકે.

જમ્મુ -કાશ્મીરમાં ખેડૂતો મોટા પાયે સફરજનની ખેતી કરે છે. પરંતુ થોડા વર્ષોથી ત્યાંના ખેડૂતોમાં લવંડર અને અખરોટની ખેતીનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. એવા ઘણા ખેડૂતો છે જે પરંપરાગત ખેતી સિવાય અખરોટની ખેતીમાંથી Walnut Cultivation) સારો નફો મેળવી રહ્યા છે. જમ્મુ -કાશ્મીર સરકારનો બાગાયત વિભાગ ખેડૂતો માટે આ પાકની નવી ટેક્નિકને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરનું પાંચારી ગામ ખેડૂત-પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અગાઉ અહીંના ખેડૂતો પરંપરાગત ખેતી પર નિર્ભર હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ અખરોટની ખેતીથી લાખોનો નફો મેળવી રહ્યા છે. સરપંચે જણાવ્યું હતું કે, જે રીતે તેમણે અમને મદદ કરી તે માટે અમે બાગાયત વિભાગના આભારી છીએ. આજે આ ગામના સેંકડો લોકોની આજીવિકા અખરોટની ખેતી પર નિર્ભર છે. ભૂમિહીન ખેડૂતો અને મજૂરોને પણ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે નજીકમાં અમારા માટે સ્ટોર અથવા બજાર ખોલવામાં આવે જેથી અમે અમારા ફળો સરળતાથી વેચી શકીએ અને ખર્ચ પણ નીચે આવે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અખરોટની ખેતી પર્વતીય વિસ્તારોમાં થાય છે અને ઠંડીની ઋતુ તેના માટે એકદમ યોગ્ય ગણાય છે. વાવેતરના થોડા મહિના પહેલા ખેડૂત ભાઈઓ નર્સરી અને કલમ પદ્ધતિ દ્વારા રોપાઓ તૈયાર કરવાનું શરૂ કરે છે. રોપાઓ તૈયાર કર્યા બાદ તેના ખેતરોમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રોપણી શરૂ કરવામાં આવે છે.

ઘણા સંશોધનોમાં આ હકીકતો બહાર આવી છે કે અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર રહેલું છે. આ તમામ ખનીજ શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે. આ સાથેઅખરોટ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :Aryan Drug Case : આર્યન ડ્રગ્સ કેસના તાર નેપાળ સુધી ! બિહાર જેલમાં બંધ આ 2 ડ્રગ્સ સ્મગલરોની NCB કરશે પૂછપરછ

આ પણ વાંચો : લો બોલો.! રાજ્યમાં GST ચોરીમાં અમદાવાદ-સુરત અવ્વલ નંબરે, આટલા હજાર કરોડનું બોગસ બિલિંગ પકડાયું

Next Article