SugarCane Farming : શેરડીની ખેતી કરતા ખેડૂતોને સરકારના આ એક નિર્ણયથી થશે ફાયદો

|

Aug 21, 2021 | 8:56 AM

શેરડીની ખેતી કરતા ખેડૂતોને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ સરકારના આ એક નિર્ણયથી ફાયદો થશે.

SugarCane Farming : શેરડીની ખેતી કરતા ખેડૂતોને સરકારના આ એક નિર્ણયથી થશે ફાયદો
SugarCane Farming: Sugarcane farmers will benefit from this one decision of the government

Follow us on

ભારત કૃષિપ્રધાન દેશ હોઈ અહીં મોટા પાયે ખેતી થાય છે. આ સ્થિતિમાં દેશની વસ્તીનો મોટો હિસ્સો ખેતી (Farming) પર નિર્ભર છે. પરંતુ આજે પણ ઘણા રાજ્યોના ખેડૂતોની (farmers) હાલત બહુ સારી નથી. જેમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો પણ સામેલ છે.

શેરડીની ખેતી (SugarCane Farming) કરતા ખેડૂતોને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. સરકાર-વહીવટીતંત્રની સક્રિયતાના અભાવે આજ સુધી શેરડીના ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. પરંતુ હવે સરકારના એક નિર્ણયથી ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે.

ભારત સરકારે ખાંડની નિકાસ 7 મિલિયન ટન વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા 6 મિલિયન ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. આ નિર્ણયોએ શેરડીના ખેડૂતોની ચુકવણી ઝડપી કરી છે. એવું માનવામાં આવે છે કે આ વખતે શેરડીનું ઘણું ઉત્પાદન થયું છે, પરિણામે ખાંડની નિકાસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિષે વધુ માહિતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગ્રાહક મંત્રાલયનું નિવેદન
ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખાંડ મિલોએ 91 હજાર કરોડ રૂપિયાની શેરડી ખરીદી હતી. તે જ સમયે, ખાંડ મિલો દ્વારા અત્યાર સુધીમાં 90,872 કરોડ રૂપિયાની કિંમતની શેરડી ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી છે. આ સ્થિતિમાં તમે કલ્પના કરી શકો છો કે શેરડીના ખેડૂતોની દુર્દશામાં કેવી રીતે સતત સુધારો થઈ રહ્યો છે.

શેરડી ખેડૂતોની સ્થિતિમાં સુધારો
અગાઉ, જ્યાં શેરડીના ખેડૂતોને તેમના પૈસા મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ વખતે તેજી આવી છે. આ વખતે શેરડીના ખેડૂતોની ચુકવણી કેમ વધી છે? ખેડૂતોની દુર્દશામાં ઘણો સુધારો થયો છે. તેની પાછળનું કારણ એ છે કે શેરડીની નિકાસમાં વધારો થયો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન વધ્યું છે, શેરડીના ખેડૂતોની સ્થિતિ સુધરી છે.

નોંધનીય છે કે, આ પહેલા પણ સરકાર દ્વારા શેરડીના ખેડૂતોની સ્થિતિ સારી કરવા માટે અનેક પગલાં ભરવામાં આવ્યા હતા. પરંતુ આજ સુધી તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી, પરંતુ તે નકારી શકાય નહીં કે શેરડીથી ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારથી શેરડી ઉગાડતા ખેડૂતોની સ્થિતિ સુધરી ગઈ છે.

આ પણ વાંચો : Tractor Sale: સૌથી મોટો રેકોર્ડ! માત્ર 7 મહિનામાં આટલા લાખ લોકોએ ટ્રેક્ટર ખરીદ્યા, શું છે તેની પાછળનું કારણ ?

આ પણ વાંચો :તમારા ઘર વાવેલા છોડ કે ઝાડ પર અથવા તો ખેતર પર આવા સફેદ ડાઘ જોવા મળે છે ? જાણો આ રોગ વિશે અને કેવી રીતે કરવો તેનો ઇલાજ

 

Next Article