Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી

|

Jan 04, 2022 | 11:15 AM

ભારતભરમાં સાગના લાકડાનું બજાર વિશાળ છે. બજારમાં સાગના લાકડાની માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો હોય છે. તમે સાગની ખેતી કરીને સારો નફો મેળવી શકો છો.

Sagwan Farming: આ ઝાડની કરો ખેતી, 10 વર્ષ બાદ કરાવશે કરોડોની કમાણી, જાણો સમગ્ર માહિતી
Sagwan Farming

Follow us on

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ તેમ છતાં ખેડૂતો (Farmers)ને તકલીફનો સામનો કરવો પડે છે. મોટાભાગના ખેડૂતોની વાર્ષિક આવક ઘણી ઓછી છે, જેના કારણે તેમના પર દેવું વધતું જાય છે. વર્ષોથી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવે છે.

જો કે, ખેડૂતો ઘણી વસ્તુઓની ખેતી કરીને સારી કમાણી કરે છે. તે પૈકી એક સાગના ઝાડની ખેતી છે. સાગનું લાકડું બજારમાં ખૂબ મોંઘું વેચાય છે અને જો ખેડૂતો આ વૃક્ષને પોતાના ખેતરમાં વાવે તો થોડા વર્ષોમાં કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે.

વર્ષમાં સાગનું વાવેતર ક્યારે કરવું?

તમે ભારતમાં ગમે ત્યાં સાગની ખેતી કરી શકો છો. તેને રોપવા માટે શ્રેષ્ઠ મહિનો સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. જો કે તે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉગાડી શકાય છે. નિષ્ણાતોના મતે સાગના છોડ વાવવા માટે 6.50થી 7.50 વચ્ચેની જમીનની pH મૂલ્ય વધુ સારી માનવામાં આવે છે. જો તમે આ જમીનમાં સાગની ખેતી કરશો તો તમારા વૃક્ષો વધુ સારા અને વહેલા ઉગશે.

અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

કેટલા વર્ષોમાં વૃક્ષ તૈયાર થાય છે?

એક વખત સાગનું વૃક્ષ વાવ્યા પછી તમારે ઓછામાં ઓછા 10-12 વર્ષ રાહ જોવી પડે છે. આ સ્થિતિમાં તમે ખેતરની બાજુની પટ્ટી પર સાગના વૃક્ષો વાવી શકો છો અને તમે વચ્ચે અન્ય મહત્વપૂર્ણ પાકની ખેતી કરી શકો છો. સાગના પાનમાં કડવાશ હોવાથી પ્રાણીઓ પણ તેને ખાવાનું પસંદ કરતા નથી.

સાગના લાકડાનો ઉપયોગ શું છે

સાગના લાકડાનું બજાર વિશાળ છે. બજારમાં સાગના લાકડાની માંગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં તમે સાગની ખેતી કરીને સારો નફો મેળવી શકો છો. સાગનું એક વૃક્ષ હજારો રૂપિયામાં વેચાય છે. સાથે જ સાગના ઝાડના લાકડાના ઉપયોગની વાત કરીએ તો તે ખૂબ જ મજબૂત હોય છે અને તેમાંથી બનાવેલું ફર્નિચર વર્ષો સુધી ટકી રહે છે. ઘરની બારીઓ, વહાણ, બોટ, દરવાજા વગેરેમાં સાગના લાકડાનો ઉપયોગ થાય છે અને તે વર્ષો સુધી ચાલે છે.

સાગનું વાવેતર કર્યા પછી શું કરવું?

જેમ દરેક પાક માટે દેખભાળ જરૂરી હોય છે, તેવી જ રીતે સાગની ખેતી માટે પણ જરૂરી છે કે તમે શરૂઆતના થોડા વર્ષો તેની કાળજી લેતા રહો. વાવ્યા બાદ પ્રથમ ત્રણથી ચાર વર્ષ સુધી સાગના ઝાડની સારી રીતે કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે શરૂઆતના સમયમાં તેનું ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમને જે નફો મળશે તે ખૂબ જ વધી જશે.

તમારે સમયાંતરે તમારા ખેતરને ખેડવાની જરૂર પડશે. પ્રથમ વર્ષમાં લગભગ ત્રણ વખત અને બીજા વર્ષે બે વાર, ખેતરમાં યોગ્ય રીતે ખેતર ખેડો અને નિયમિત અંતરે પાણી અને ખાતર વગેરે આપતા રહો. જો કે એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે જરૂર કરતાં વધુ પાણી આપો છો તો તમારા ઝાડમાં ફૂગનું જોખમ રહે છે.

ખેતીમાંથી બમ્પર કમાણી થશે, કરોડો રૂપિયાનો નફો થશે

દરેક ખેડૂત ઈચ્છે છે કે તે જે ખેતી કરે છે તેનાથી તેને સારી એવી રકમ મળે. સાગના વૃક્ષો વાવવા માટે ઘણી મહેનત અને ઘણા વર્ષોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં લોકો પણ સારો નફો ઈચ્છે છે. જો કોઈ ખેડૂત એક એકરમાં સાગના 500 વૃક્ષો વાવે તો 10-12 વર્ષ પછી તે તેને લગભગ એક કરોડ રૂપિયામાં વેચી શકે છે.

આ રીતે તમે તમારા ખેતરોમાં સાગના વૃક્ષો વાવીને બમ્પર કમાણી કરી શકો છો. એક ઝાડની કિંમતની વાત કરીએ તો તે બજારમાં સરળતાથી 30-40 હજાર રૂપિયામાં વેચાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વૃક્ષની કિંમત પણ વધતી જાય છે. અનેક એકરમાં વૃક્ષો વાવીને તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો.

આ પણ વાંચો : Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો : Maharashtra Corona Alert: NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત કોરોનાની ઝપેટમાં, આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ પણ થયો સંક્રમિત

Next Article