Gir-Somnath: વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં ખારવા યુવકની હત્યાથી ચકચાર, છરીના આડેધડ ઝીંક્યા ઘા

|

Nov 23, 2021 | 8:01 AM

Gir-Somnath: ચાઇનીઝની રેકડી ચલાવતા ખારવા યુવાન સાથે સામાન્ય બાબતમાં ત્યાં આવેલા શખ્સની બોલાચાલી થઇ હતી. પરિણામે શખ્સે યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો.

Gir-Somnath: વેરાવળમાં યુવકની છરીના ઘા મારી હત્યા (Murder) કરવાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય બોલચાલ માં છરીથી હત્યા કરાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જણાવી દઈએ કે ખારવાવડ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ પાસે આ ઘટના બની હતી. જ્યાં અજાણ્યા શખ્સ દ્વારા સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા (Veraval Murder case) કરાઈ હોવાનું સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર મૃતકનું નામ જતીન વિઠ્ઠલભાઈ બાંડિયા છે.

મળેલી વિસ્તૃત માહિતી અનુસાર વેરાવળમાં સમીસાંજે આ ઘટના બની હતી. જ્યાં ચાઇનીઝની રેકડી ચલાવતા ખારવા યુવાન સાથે સામાન્‍ય બાબતમાં ત્યાં આવેલા શખ્સની બોલાચાલી થઇ હતી. આ દરમિયાન એક શખ્‍સએ છરીના આડેઘડ ઘા ઝીંકી યુવકની હત્યા કરી દીધી. હત્યાની જાણ પોલીસ અઘિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. ત્યાં સુધી આરોપી ફરાર થઇ ગયો હતો.

જો કે ભાગી છુટેલા આરોપી શખ્‍સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હત્યાની જાણ થતા વિસ્તારમાં ચકચાર મચી ગયો. ખારવા સમાજના લોકો મોટી સંખ્‍યામાં સિવિલમાં દોડી ગયા હતા. તો ખારવા સમાજના આગેવાનોએ પોલીસ અઘિકારીઓને પણ હત્‍યારાને ઝડપી લેવા રજૂઆત કરી હતી.

 

આ પણ વાંચો: Kutch: નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં પ્રવેશ મુદ્દે હુમલાની ઘટનામાં સામા પક્ષે નોંધાવી ફરિયાદ! જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: 30 નવેમ્બર પહેલા Pensioners જમા કરે Life Certificate નહીંતર અટકી શકે છે Pension, જાણો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની રીત

Next Video