સાબરમતી નદીમાંથી માતા-પૂત્રનો બાંધેલી હાલતમા મળ્યો મૃતદેહ

|

Apr 15, 2021 | 10:19 AM

સાબરમતી નદીમાંથી ( Sabarmati river ) બાંધેલી હાલતમા મૃતદેહ મળી આવતા પોલીસે, હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે

અમદાવાદની સાબરમતી ( Sabarmati ) નદીમાંથી માતા પૂત્રનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા, પોલીસ પણ ચોકી ઉઠી છે. મૃતક કોણ છે, તેની ઓળખ કરવા અંગે તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર અમદાવાદમાં રાત્રીના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ હોય છે, ત્યારે આ માતા પૂત્રના મૃતદેહ બાંધેલી હાલતમાં સાબરમતી નદીમાંથી મળી આવવાની ઘટનાએ પોલીસ માટે પણ વિમાસણ સર્જી છે. સાબરમતી નદીમાં મૃતદેહ તરતા હોવાની બાબતની જાણકારીએ, ફાયર બ્રિગેડના જવાનોએ, બન્નેના મૃતદેહ બહાર કાઢીને પોલીસને હવાલે કર્યા છે.

સાબરમતી નદીના ગાંધીબ્રિજ નજીકથી મળી આવેલ મૃતદેહ પૈકી માતાની ઉપર 30 વર્ષની આસપાસ અને બાળકની ઉમર અઢીથી ત્રણ વર્ષની આસપાસનું હોવાનું અનુમાન છે. સાબરમતી નદીમાંથી મળી આવેલા બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. અને આ બન્ને મૃતદેહની ઓળખ મેળવવા, તેમજ હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Next Video