
સુરતમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજીરા પાસે એક વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. મૃતક વેપારી કેતન સોપારીવાળાએ આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મનહર ઘીવાલા, કૈલાશબેન ઘીવાલા, વિપુલ ઘીવાલા, મિહિર વિરાણી, આશિષ તંબાકુવાલા અને સંજયના નામનો ઉલ્લેખ છે. મૃતકે નોટમાં વ્યાજખોરો રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનું લખ્યું છે. નોંધનીય છેકે મૃતક છેલ્લા 12 દિવસથી ગુમ થયો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો