SURAT : ખટોદરાના વેપારીએ કર્યો આપઘાત, પઠાણી ઉઘરાણીને કારણે આપઘાત કર્યોનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

|

Jan 23, 2021 | 1:41 PM

SURAT : શહેરના ખટોદરાના યાર્ન વેપારીએ આપઘાત કર્યો છે.ઘરમાં જ ગળેફાંસો ખાઈ વેપારીએ જીવન ટૂંકાવ્યું છે.

SURAT : શહેરના ખટોદરાના યાર્ન વેપારીએ આપઘાત કર્યો છે.ઘરમાં જ ગળેફાંસો ખાઈ વેપારીએ જીવન ટૂંકાવ્યું છે. અલઠાણ વિસ્તારમાં રહેતા અજય પ્રતાપસિંહ નામના વેપારીએ આપઘાત કર્યો છે.આપઘાત કરતા પહેલા વેપારીએ સુસાઇડ નોટ લખી છે. પાંચ શખ્સો દ્વારા ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું નોટ લખ્યું છે. સુસાઇડ નોટમાં નિલેશ, શૈલેષ, ગોવિંદ સહિત પાંચ લોકોના નામોનો સમાવેશ છે. સચિન વિસ્તારમાં લુમ્સ ખાતું ધરાવતા વેપારીના અણધાર્યા પગલાંથી પરિવાર શોકમાં છવાયો છે. લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

 

Published On - 1:35 pm, Sat, 23 January 21

Next Video