SURAT : ઝીંગા માફિયાઓ સામે કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ઝીંગા તળાવની જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમા મંદ્રોઈ ગામમા આવેલા ઝીંગા તળાવમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું. હવે દાંડી, સરસ, મોર, કપાસી સહિત 13 ગામોમાં આવી કામગીરી હાથ ધરાશે. નાયબ કલેક્ટર, મામલતદાર, ડીઆઈએલઆર તથા મત્સ્ય વિભાગની ટીમ આ કામગીરીમાં લાગી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના ગુના પણ દાખલ કરવામા આવશે.