સુરતમાં ફરી દુષ્કર્મની ઘટના : વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ

|

Nov 09, 2021 | 12:09 PM

સુરતમાં પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના હજી તાજી છે, એવામાં ફરી દુષ્કર્મની ઘટના સામે આવી છે.

SURAT : સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી બનાવની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં શહેરમાં ફરી દુષ્કર્મની ઘટના ઘટી છે. સુરતમાં ફરી વાર બાળકી સાથે દુષ્કર્મની ઘટના આવી સામે આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વરાછા પોલીસે બળાત્કાર ફરિયાદ કરી દાખલ કરી છે અને આરોપીની POCSO હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસ હાલ આરોપની પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ આગળની કાયવાહી કરશે.

સુરતના વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે 12 વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ પોતાના પરિવારજનોને વાત કરતા સમગ્ર ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના હજી તાજી છે, એવામાં ફરી દુષ્કર્મની ઘટના સામે આવી છે.

7 નવેમ્બરના રોજ વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસે અપહરણ અને હત્યાની દિશામાં તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની તપાસ કરતી પોલીસના હાથમાં CCTV ફૂટેજ આવ્યાં હતા, જેમાં બાળકીને તેડીને લઈ જતો વૃદ્ધ શંકાસ્પદ દેખાઈ રહ્યો હતો. સુરતના પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી મુળ બિહારનો વતની છે અને જે પાંડેસરના વડોદ ગામમાં રહેતો હતો.આરોપીએ નશાની હાલતમાં દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ તપાસમાં ચોંકવાનરો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : JAMNAGAR : કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ APMC પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

આ પણ વાંચો : વિવાદોનો અખાડો બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હવે ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને મળી કારણદર્શક નોટીસ

Next Video