Pakistan Terror Moduleનો થયો પર્દાફાશ, બોમ્બ બ્લાસ્ટ માટે રામલીલા અને નવરાત્રિના કાર્યક્રમો હતા નિશાના પર

|

Sep 15, 2021 | 7:43 AM

ષડયંત્રને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંકળાયેલા છે.

Pakistan Terror Moduleનો થયો પર્દાફાશ, બોમ્બ બ્લાસ્ટ માટે રામલીલા અને નવરાત્રિના કાર્યક્રમો હતા નિશાના પર
પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંકળાયેલા છે

Follow us on

Pakistan Terror Module: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell) પાકિસ્તાન (Pakistan) દ્વારા સંચાલિત ટેરર ​​મોડ્યુલ (Terror Module) નો પર્દાફાશ કર્યો છે. જેમાં 6 પાકિસ્તાની આતંકીઓ સહિત 6 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 2 આતંકવાદીઓ પાકિસ્તાનથી તાલીમ લઈને આવ્યા હતા. આ શકમંદોની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓનું નામ ઓસામા અને ઝિશન બાઈ છે. મળતી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓના અંડરવર્લ્ડ સાથે પણ સંપર્ક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીના પ્રયાગરાજમાં યુપી એટીએસના સહયોગથી દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના ઇનપુટ પર પ્રયાગરાજમાં કારેલીમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો મળી આવવાના સમાચાર છે.

આતંકવાદી હુમલાની યોજના
એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ આતંકી મોડ્યુલ ISI ના સમર્થન હેઠળ દેશના મોટા શહેરોમાં વિસ્ફોટો અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંકળાયેલા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોડ્યુલ વિશે માહિતી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. આ પછી દરોડા પાડવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં રહેતા એક આતંકવાદીને કોટાથી પકડવામાં આવ્યો. આ સિવાય 2 ને દિલ્હીમાંથી અને 3 ને ઉત્તરપ્રદેશ ATS ની મદદથી પકડવામાં આવ્યા હતા.

નિશાન પર હતા રામલીલા અને નવરાત્રી કાર્યક્રમો
કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ 2 ટીમો બનાવી હતી. અનીસ ઇબ્રાહિમ એક ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો અને તેમનું કામ ભંડોળનું હતું. તે જ સમયે, લાલા જે પકડાયો છે તે અંડર વર્લ્ડનો માણસ છે. બીજી ટીમનું કાર્ય ભારતમાં તહેવારો પ્રસંગે દેશભરમાં વિસ્ફોટો માટે શહેરોની ઓળખ કરવાનું હતું. તેમની યોજના દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની હતી. રામલીલા અને નવરાત્રીના કાર્યક્રમો નિશાન પર હતા.

સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી નીરજ ઠાકુરે જણાવ્યું કે અમે 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાંથી 2 ટ્રેનિંગ બાદ પાકિસ્તાનથી પરત આવ્યા છે. તેમાંથી 2 પહેલા મસ્કત ગયા, પછી તેમને ત્યાં બોટ દ્વારા પાકિસ્તાન લઈ જવામાં આવ્યા. તેણે કહ્યું કે 14 લોકો તેની સાથે બાંગ્લા બોલવા વાળા હતા. તેમને એક ફાર્મ હાઉસમાં 15 દિવસ સુધી હથિયારોની તાલીમ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: JEE Main Result 2021: JEE MAINનું પરિણામ જાહેર, 18 વિદ્યાર્થીઓએ 1 રેન્ક મેળવ્યો, ચેક કરો આ જગ્યા પર તમારૂ પરિણામ

આ પણ વાંચો: Income Tax : પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? પહેલા કરો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

Next Article