ફાંસીનો દિવસ નજીક! નિર્ભયા કેસના ગુનેગારોને તિહાડ જેલ તંત્રએ પૂછી અંતિમ ઈચ્છા

|

Jan 23, 2020 | 5:55 AM

ફાંસીના માંચડે ચડાવતા પહેલા નિર્ભયાના 4 દોષિતોને પૂછવામાં આવ્યું છે કે તેમની આખરી ઈચ્છા શું છે? તિહાડ જેલમાં બંધ નિર્ભયા કેસના ચાર ગુનેગારોને જેલ તંત્રએ નોટિસ આપીને આખરી ઈચ્છા પૂછી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે 1 ફેબ્રુઆરી તેમને ફાંસીએ લટકાવવાનું નક્કી છે. આ પહેલા તેઓ અંતિમ મુલાકાત કોની સાથે કરવા માગે છે? તેમના નામે […]

ફાંસીનો દિવસ નજીક! નિર્ભયા કેસના ગુનેગારોને તિહાડ જેલ તંત્રએ પૂછી અંતિમ ઈચ્છા

Follow us on

ફાંસીના માંચડે ચડાવતા પહેલા નિર્ભયાના 4 દોષિતોને પૂછવામાં આવ્યું છે કે તેમની આખરી ઈચ્છા શું છે? તિહાડ જેલમાં બંધ નિર્ભયા કેસના ચાર ગુનેગારોને જેલ તંત્રએ નોટિસ આપીને આખરી ઈચ્છા પૂછી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે 1 ફેબ્રુઆરી તેમને ફાંસીએ લટકાવવાનું નક્કી છે. આ પહેલા તેઓ અંતિમ મુલાકાત કોની સાથે કરવા માગે છે? તેમના નામે કોઈ મિલકત હોય તો શું તે કોઈના નામે ટ્રાન્સફર કરવા માગે છે? કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા ઈચ્છે છે કે ધર્મગુરૂને બોલાવવા માગે છે?

જો તેમની આવી કોઈ ઈચ્છા હોય તો 1 ફેબ્રુઆરી પહેલા પૂરી કરવામાં આવે. આ બધાની વચ્ચે એવા અહેવાલ પણ મળ્યા છે કે ચારેયમાંથી એક વિનય નામના દોષિતે જિંદગી ખતમ થઈ જવાના ડરથી જમવાનું છોડી દીધુ છે, બે દિવસથી તે જમ્યો નથી. બુધવારે જ્યારે તેમને વારંવાર જમવા માટે કહેવાયું તો તે થોડું જમ્યો હતો. જ્યારે પવન નામના દોષિતે પણ પહેલા કરતા પોતાનો ખોરાક ઓછો કરી દીધો છે તો મુકેશ અને અક્ષય પર કોઈ જ અસર જોવા નથી મળી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દોષિતોમાંથી મુકેશ પાસે ફાંસી ટાળવાના જેટલા કાયદાકીય ઉપચાર હતા તે તમામ અજમાવી ચૂક્યો છે. તેની દયા અરજી પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. હવે બીજા ત્રણ દોષિતો પાસે દયા અરજી દાખલ કરવાની અને બે દોષિતો પાસે ક્યૂરેટિવ દાખલ કરવાની તક બચી છે. ચારેયને ફાંસી પર લટકાવવાની નવી તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે. તેમને વહેલી સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવાશે પણ મુકેશ સિવાય બીજા 3 દોષિતોમાંથી કોઈ દયા અરજી કરશે તો આ મામલો ફરી કેટલાક દિવસ માટે આગળ વધી શકે છે. તેવામાં કાયદાકીય જાણકારોનું કહેવું છે કે ફરીથી ફાંસીની તારીખ નક્કી કરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

ત્યારે બીજીતરફ જેલ તંત્ર પણ સજ્જ છે. જેલ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે ચાર દોષિતોને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રખાયા છે. દરેક દોષિતના સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત છે. જેમાંથી એક હિન્દી અને અંગ્રેજી ભાષાનો જાણકાર તમીલનાડુ સ્પેશિયલ પોલીસ જવાન અને એક તિહાડ જેલ તંત્રનો જવાન હોય છે. દરેક બે કલાકે આ ગાર્ડને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાય એટલે બીજા ગાર્ડ તૈનાત કરી દેવામાં આવે છે. દરેક કેદી માટે 24 કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરાયા છે. એટલે કે ચાર કેદીઓ માટે કુલ 32 સિક્યોરિટી ગાર્ડ તૈનાત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article