Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન

|

Oct 03, 2021 | 4:09 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી એસએન પ્રધાને અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ સાથે ક્રૂઝમાં ડ્રગ્સ મળવાના કેસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે સ્પેસિફિક કોઈ પણ વ્યક્તિ વિશે ટિપ્પણી કરી શકે નહીં. કેટલાક બોલિવૂડ કનેકશન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે.

Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન
એનસીબી ચીફ એસએન પ્રધાન

Follow us on

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ફિલ્મી સ્ટાઈલમાં ક્રુઝ (Cruise Rave Party)  પર દરોડા પાડ્યા અને 8 લોકોની અટકાયત કરી. તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન (Shahrukh Khan Son Aryan) પણ સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી એસએન પ્રધાને અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષને કહ્યું કે અમે પેસેન્જર બનીને જ ક્રૂઝમાં છુપાઈ શક્યા હતા. આખી ટીમને શંકાના દાયરાથી દૂર રાખવાની હતી અને રીસ્કને પણ ઓછું કરવાનું હતું, આ કારણે જ અમે પેસેન્જર બનીને જ ક્રુઝની અંદર દાખલ થયા.

પ્રધાને કહ્યું કે લાંબા સમયથી ગુપ્તચર અહેવાલો મળી રહ્યા હતા અને જ્યારે આખરે પુષ્ટિ થઈ કે કાર્યવાહી કરી શકાય તેમ છે, ત્યારે અમે આ પગલું ભર્યું. દરોડામાં 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. રેડમાં ઘણાં પ્રકારના ડ્રગ્સ મળ્યા હતા જેમાં એમડીએમએ અને ચરસનો સમાવેશ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જોડાયેલા તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે

જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે કોઈ પણ વ્યક્તિના નામ વિશે ટિપ્પણી કરી શકે નહીં. પરંતુ કેટલાક બોલિવૂડ કનેક્શન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. કનેક્ટેડ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.

પ્રથમ દ્રષ્ટિએ પુરાવા મળ્યા

ડીજી એસએન પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે 1800 લોકોમાંથી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે પ્રથમ દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળ્યા છે. પ્રાથમિક પુરાવાના આધારે તમામની અટકાયત કરવામાં આવી છે. ટૂંક સમયમાં કેટલાક વધુ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. પ્રધાને જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં ડાર્ક નેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાર્કનેટ એ ઇન્ટરનેટનો એ ભાગ છે જે ખતરનાક છે. લોકો નકલી નામો સાથે ડાર્ક નેટ પર આવે છે. ડ્રગ્સ કેવી રીતે જહાજ સુધી પહોંચી અને સપ્લાયર્સ કોણ હતા, આખી ચેઇન પકડાઇ જશે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ

Next Article