Surendranagar: પાટડી તાલુકાના જૈનાબાદ ગામે હત્યાની ઘટના સામે આવી છે. ગામમાં અજાણ્યા શખ્સોએ આધેડની હત્યા કરી હોવાની માહિતી બહાર આવી છે. મોડીરાત્રે ચોર રહેણાક મકાનમાં ચોરી કરવા આવ્યા હતા. ચોરીના ઈરાદે આવેલા તસ્કરો આધેડની હત્યા કરી નાસી છૂટ્યા છે. ચોરી દરમિયાન આધેડ જાગી જતા પકડાઇ જવાની બીકે હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમાગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં વધી રહેલા ગુના સામે હવે આકરા પગલા ભરવાનો સમય આવી ગયો છે. દરરોજ અનેક લૂંટ, હત્યા, અપહરણના બનાવ સામે આવે છે. અમદાવાદમાં પણ ગઈ કાલે વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવાયા. દંપતીની હત્યા કરી દેવામાં આવી. ચોરીના ઈરાદે કોઈ જાણભેદુએ આ કારસ્તાન કર્યું હોવાનું પ્રાથમિક તારણ છે. ત્યારે રાજ્યભરના જિલ્લાઓ અને શહેરોમાં લોકો કેટલા સુરક્ષિત તેને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે.
Published On - 11:45 am, Wed, 3 November 21