જાણો છો જયંતિ ભાનુશાળીની હત્યાનું પ્રણ લેનાર મહિલા મનીષા ગોસ્વામી કોણ છે?

|

Jan 25, 2019 | 6:42 AM

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે સત્તાવાર રીતે ધપકડ કરી છે. જયંતિ ભાનુશાળીના પરિવારે પણ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પર હત્યાના ઓરોપો લગાવ્યા હતા. ત્યારે હવે 2 લોકોની ધરપકડ બાદ વધુ તપાસ ચાલી રહી છે.  છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચેની દુશ્મની તો સૌ કોઈ વાકેફ છે જ પરંતુ આખરે […]

જાણો છો જયંતિ ભાનુશાળીની હત્યાનું પ્રણ લેનાર મહિલા મનીષા ગોસ્વામી કોણ છે?

Follow us on

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે સત્તાવાર રીતે ધપકડ કરી છે. જયંતિ ભાનુશાળીના પરિવારે પણ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પર હત્યાના ઓરોપો લગાવ્યા હતા. ત્યારે હવે 2 લોકોની ધરપકડ બાદ વધુ તપાસ ચાલી રહી છે. 

છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચેની દુશ્મની તો સૌ કોઈ વાકેફ છે જ પરંતુ આખરે આ મહિલા, મનીષા ગોસ્વામી કોણ છે જેનું નામ આ હત્યામાં સંડોવાયું છે. કહેવાય છે કે જયંતિની હત્યા રાજકીય કારણોસર તેમજ અંગત અદાવતમાં કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી મનીષા ગાયબ છે. તેનો મોબાઈલ પણ સ્વિચ ઑફ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મનીષાએ અગાઉ જયંતિ ભાનુશાળી વિરૂદ્ધ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ

મનીષાએ જયંતિ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પરંતુ બાદમાં આ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અને તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

મનીષા ગોસ્વામી મૂળ વાપીની છે, તે પરિણીત છે અને 3 બાળકોની માતા છે. જયંતિ ભાનુશાળીના પુત્રનું જ્યારે અકસ્માતમાં નિધન થયું હતું તે સમયે આ બંને એકબીજાની નજીક આવ્યા હતા. કહેવાય છે કે આ બંને વચ્ચે પ્રેમસંબંધ અને શારીરિક સંબંધ પણ હતો.

TV9 Gujarati

 

મનીષા જયંતિના ઈશારે કરતી કામ, બનાવતી અશ્લીલ સીડી

આ સમય દરમિયાન જયંતિ કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને તેમણે મનીષાનો રાજકીય રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જયંતિના ઈશારે મનીષાએ ઘણાં લોકો સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેની સીડી બનાવી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા. પરંતુ સમય જતા જયંતિ અને મનીષા વચ્ચે અણબનાવ થવા લાગ્યો. વર્ષ 2016માં એ બંને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો. જોકે ત્યારે જયંતિ જેને ગુરૂ માનતા તેમણે આ બંને વચ્ચે સમાધાન કરાવ્યું. મનીષાએ સમાધાન પેટે 5 કરોડ પણ માદ્યા જે ભાનુશાળીએ ન આપ્યા બંને વચ્ચેનો સંબંધ વણસી ગયો.

વર્ષ 2018માં ખંડણીને લઈને બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને એવાકમાં જ મનીષાએ સુરજિત ભાઉ જે એક શાર્પશૂટર છે તેની સાથે દોસ્તી કરી.

2018માં મનીષાએ જયંતિના ભત્રીજા સુનીલને બદનામ કરવાની ધમકી આપી હતી અને 10 કરોડની ખંડણી માગી હતી. આ ઉપરાંત, જયંતિના ભાભી સરસ્વતી બહેનની પણ બોગસ પાવર ઓફ અટર્ની બનાવી બારોબર જમીન વેચી દેવાને લઈને મનીષા સામે ફરિયાદ નોંધાઈ હતી.

સૂત્રોનું માનીએ તો 3 જાન્યુઆરીએ મનીષા એક વ્યક્તિને મળી હતી અને તે ભાનુશાળીને ખતમ કરી દેશે તેમ પણ કહ્યું હતું.

[yop_poll id=795]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article