Covid Death: પાંચ લાખ મોતનો રેકોર્ડ કરનાર ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો, ત્રીજી લહેરનો પ્રભાવ ઓછો, પરંતુ આ રીતે વધી સંખ્યા

|

Feb 04, 2022 | 12:41 PM

Coronavirus Death in India: કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં રેકોર્ડ બ્રેક મોત નોંધાયા હતા. આ બાદ મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો હતો.

Covid Death: પાંચ લાખ મોતનો રેકોર્ડ કરનાર ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો, ત્રીજી લહેરનો પ્રભાવ ઓછો, પરંતુ આ રીતે વધી સંખ્યા
India Covid Death (PTI-File Photo)

Follow us on

ભારતમાં કોરોનાથી (corona) જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 5 લાખને પાર થઇ ગઈ છે. આ રીતે ભારત કોરોના મહામારીથી 5 લાખથી વધુ મોત થનારા દુનિયાનો ત્રીજો દેશ બની ગયો છે. ભારતે ગુરુવારે આ આંકડો પાર કર્યો હતો. 9.1 લાખથી વધુ કોરોના મૃતકો સાથે અમેરિકા અને 6.3 લાખ મૃત્યુ સાથે બ્રાઝિલ અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. રશિયા ચોથા સ્થાને છે. જ્યાં 3.3 લાખ લોકોના મોત થયા છે. ત્યારબાદ મેક્સિકોનો નંબર આવે છે. જ્યાં 3.07 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

1 જુલાઈ, 2021 ના ​​રોજ કોરોનાથી ચાર લાખ મૃત્યુના આંકડાને પાર કર્યા પછી ભારતમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 લાખ સુધી પહોંચવામાં 217 દિવસ લાગ્યા છે. મૃત્યુઆંક વધીને એક લાખ સુધી પહોંચવાનો આ અત્યાર સુધીનો સૌથી વધુ સમય છે. આ આંકડા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવા છતાં તે પછી મૃતકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. અહીં નોંધનીય બાબત એ છે કે આ તે સમય હતો જ્યારે ભારતમાં રસીકરણની ગતિ વધી હતી.જેણે લોકોના જીવન બચાવવાનું કામ કર્યું હતું.

પ્રથમ અને બીજી લહેરની સરખામણીમાં ઓછા લોકોએ ગુમાવ્યો જીવ

ગત વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટના કારણે ત્રીજી લહેરનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો હતો. 3 જાન્યુઆરી 2022 સુધી દરરોજ સરેરાશ 700લોકો કોરોનાડથી જીવ ગુમાવી રહ્યા હતા. આ આંકડા સાત દિવસના આધારે બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, ગુરુવારે સાત દિવસના ડેટાના આધારે, જાણવા મળ્યું કે દરરોજ સરેરાશ 600 થી વધુ લોકો કોવિડથી જીવ ગુમાવી રહ્યા છે. જો કે, જો આપણે આ આંકડો પ્રથમ અને બીજી લહેર સાથે સરખાવીએ, તો તફાવત સ્પષ્ટપણે દેખાશે. બીજી લહેર દરમિયાન આ સંખ્યા 4000 પ્રતિ દિવસ હતી અને પ્રથમ વેવમાં 1176 પ્રતિ દિવસ હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભારતમાં કેવી રીતે મૃતકોનો ગ્રાફ વધ્યો છે

કોરોનાવાયરસ રોગચાળાની શરૂઆત પછી દેશમાં કોરોનાને કારણે પ્રથમ મૃત્યુ 12 માર્ચ 2020 ના રોજ થયું હતું. આ પછી ભારતમાં મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચવામાં 204 દિવસ લાગ્યા. 2 ઓક્ટોબર, 2020 ના રોજ દેશમાં કોવિડના મૃત્યુનો આંકડો એક લાખને વટાવી ગયો. આ પછી મૃતકોની સંખ્યા એક લાખથી બે લાખ સુધી પહોંચવામાં 207 દિવસ લાગ્યા, જ્યારે 27 એપ્રિલ 2021ના રોજ બે લાખનો આંકડો પાર થયો. તે જ સમયે, આ દરમિયાન કોરોનાની બીજી લહેર તેની ટોચ પર હતી. આવી સ્થિતિમાં મૃતકોની સંખ્યા બે લાખથી ત્રણ લાખ સુધી પહોંચવામાં માત્ર 26 દિવસ લાગ્યા હતા. 23 મે 2021ના રોજ કોરોનાથી ત્રણ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પછી કોરોનાની ગતિ ધીમી થઇ ગઈ હતી. પરંતુ મૃતકોની સંખ્યામાં વધારો થતો રહ્યો. દેશમાં ત્રણ લાખથી ચાર લાખનો આંકડો 39 દિવસમાં પૂરો થયો. 2 જુલાઈ, 2021ના રોજ કોરોનાથી મૃત્યુઆંક ચાર લાખને વટાવી ગયો. તે જ સમયે, કોરોના રસીકરણની ગતિમાં વધારો વધારા સાથે હોસ્પિટલમાં દાખલ થવાના દર અને કોવિડ દર્દીઓની સંખ્યા બંનેમાં ઘટાડો થયો હતો. આ જ કારણ હતું કે ભારતમાં મૃતકોની સંખ્યા ચાર લાખથી પાંચ લાખ સુધી પહોંચવામાં 217 દિવસનો સમય લાગ્યો હતો. 3 ફેબ્રુઆરી 2022ના રોજ દેશમાં મૃત્યુઆંક પાંચ લાખને વટાવી ગયો હતો.

આ પણ વાંચો : Uttarakhand Election: ઉત્તરાખંડમાં ભાજપના બળવાખોરો સામે કડક કાર્યવાહી, ધારાસભ્ય રાજકુમાર સહિત છ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કઢાયા

આ પણ વાંચો : ICMRનો દાવો : રસી જ એકમાત્ર રક્ષણ , સંપૂર્ણ રસીકરણથી કોરોના દર્દીઓના મૃત્યુની શક્યતા ઓછી

Next Article