
જર્મનીમાં એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ પછી ભારત પાછા ફર્યા બાદ તેમણે લગભગ દોઢ વર્ષ સુધી UPSC પરીક્ષાની તૈયારી કરી. તેણીએ તેના પ્રથમ પ્રયાસમાં વર્ષ 2017માં UPSC CSE પરીક્ષામાં 240 મો ક્રમ મેળવ્યો અને IPS માટે પસંદગી પામી.

IPS બન્યા પછી પણ ગરિમા અગ્રવાલ સંતુષ્ટ ન હતા અને UPSC પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. તાલીમ સાથે તેણીએ હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડમીમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. બીજા જ વર્ષે 2018માં તેણે બીજી વખત પરીક્ષા આપી અને તેના બીજા પ્રયાસમાં 40 મો રેન્ક મેળવીને IAS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ગરિમા અગ્રવાલે (Garima Agrawal) વર્ષ 2019-20 માં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસૂરીમાંથી પોતાની તાલીમ પૂર્ણ કરી હતી. હાલમાં, ગરીમા અગ્રવાલ તેલંગાણામાં મદદનીશ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે. ગરિમા અગ્રવાલના મતે, 'નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. નિષ્ફળતા કે સફળતા બંને આપણા મનમાં થાય છે. જો આપણે નિશ્ચય કરીએ તો આપણે કંઈપણ હાંસલ કરી શકીએ છીએ.