
નમ્રતાએ 2015માં પ્રથમ વખત UPSCની પરીક્ષા આપી હતી, પરંતુ તે પાસ થઈ શકી નહોતી. આ પછી 2016ની પરીક્ષામાં 99મો રેન્ક મેળવવા છતાં તે IAS બની શકી નહીં. તે મધ્યપ્રદેશ કેડરની IPS બની. જોકે નમ્રતાનું ધ્યેય આઇએએસ બનવાનું હતું, તે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં તાલીમ દરમિયાન પણ યુપીએસસીની તૈયારી કરતી રહી.

વર્ષ 2018માં તેણે ફરી એક વખત પોતાનું નસીબ અજમાવ્યું. આ વખતે તેની મહેનત ફળી અને તેણે ઓલ ઈન્ડિયામાં 12મો રેન્ક મેળવ્યો અને આઈએએસ બનવાનું તેનું સપનું પૂરું કર્યું. નમ્રતા કહે છે, તમારે આ આખી યાત્રામાં ધીરજ રાખવી પડશે, તમને સફળતા નહીં મળે, ભૂલો થશે પણ હિંમત ન હારશો.