UPSC Exam: કોરોનાને કારણે UPSC પરીક્ષા આપી શક્યા નહોતા, આયોગે સુપ્રીમ કોર્ટને Re-exam અંગે આપી માહિતી

|

Mar 23, 2022 | 1:13 PM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ કોરોના પોઝિટિવ હોવાના કારણે UPSC પરીક્ષામાં બેસી ન શકનારા ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા યોજવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

UPSC Exam: કોરોનાને કારણે UPSC પરીક્ષા આપી શક્યા નહોતા, આયોગે સુપ્રીમ કોર્ટને Re-exam અંગે આપી માહિતી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

UPSC Exams: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ કોરોના પોઝિટિવ હોવાના કારણે UPSC પરીક્ષામાં બેસી ન શકનારા ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા યોજવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં, યુપીએસસી (Union Public Service Commission)એ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર કોઈપણ કારણોસર નિર્ધારિત તારીખે પરીક્ષામાં હાજર ન રહે, તો પછી પરીક્ષા યોજવાની કોઈ જોગવાઈ નથી. પછી તે બીમારી હોય અકસ્માત હોય કે બીજું કંઈક.

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ત્રણ ઉમેદવારોની અરજી પર સુનાવણી થઈ હતી. આ ત્રણેય ઉમેદવારોએ UPSC-2021ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી હતી પરંતુ કોવિડ-19થી સંક્રમિત જણાયા બાદ તેઓ મુખ્ય પરીક્ષાના તમામ પેપરમાં હાજર રહી શક્યા ન હતા. આ ઉમેદવારો હવે પરીક્ષામાં બેસવા માટે વધારાની તક આપવાની માંગ કરી રહ્યા છે. UPSCએ સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસીસ પરીક્ષામાં વય છૂટછાટ અને વળતર/વધારાના પ્રયત્નો અંગેનો કોઈપણ નિર્ણય એ “નીતિની બાબત” છે જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

કેન્દ્ર સરકારના નિયમો મુજબ પરીક્ષા

કમિશને જણાવ્યું હતું કે, “કમિશન સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન ઘણી ભરતી પરીક્ષાઓ સિવાય 13 પરીક્ષાઓનું આયોજન કરે છે”. આ પરીક્ષાઓના સંદર્ભમાં, જો ઉમેદવાર કોઈપણ રોગ/અકસ્માત સહિતના કોઈપણ કારણોસર નિયત તારીખે પરીક્ષામાં બેસવામાં નિષ્ફળ જાય, તો તે પરીક્ષા આપી શકશે નહીં, તો ફરીથી પરીક્ષા યોજવાની કોઈ જોગવાઈ રહેશે નહીં. કમિશને કહ્યું કે ભૂતકાળમાં, આયોગે સમાન સંજોગોમાં કોઈ પુનઃપરીક્ષા હાથ ધરી નથી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, UPSC ભારત સરકાર દ્વારા કાર્મિક મંત્રાલયમાં વાર્ષિક ધોરણે લેવામાં આવતી પરીક્ષાના નિયમો અનુસાર સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સમગ્ર દેશમાં 24 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી

UPSCએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસીસ મુખ્ય (લેખિત) પરીક્ષા 2021 7 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં 24 કેન્દ્રો પર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. કોવિડ-19 પ્રોટોકોલમાં કોરોના સંક્રમિત ઉમેદવારો માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી. કમિશને કહ્યું કે, અમે મહત્વની ખાલી જગ્યાઓ સમયસર ભરીને સરકારને મેનપાવર પુરી પાડવાની બંધારણીય જવાબદારી પૂરી કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: CUET 2022 Exam Pattern: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ પેટર્ન અને સિલેબસ, એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રિશન

આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article