NEET PG: ખાલી બેઠકો ભરવા માટે NEET-PG કટ-ઓફમાં 15 પર્સેન્ટાઈલ ઘટાડવાનો આદેશ

|

Mar 13, 2022 | 12:04 PM

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલની ખાલી સીટ ભરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE)ને તમામ કેટેગરીમાં NEET-PG 2021 માટેના કટ-ઓફને 15 પર્સન્ટાઈલ ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.

NEET PG: ખાલી બેઠકો ભરવા માટે NEET-PG કટ-ઓફમાં 15 પર્સેન્ટાઈલ ઘટાડવાનો આદેશ
NEET PG Counselling

Follow us on

NEET PG: ખાલી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સીટ ભરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE)ને તમામ કેટેગરીમાં NEET-PG 2021 માટેના કટ-ઓફને 15 પર્સન્ટાઈલ ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે. NBEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીનુ બાજપેયીને લખેલા પત્રમાં મેડિકલ કન્સલ્ટેટિવ ​​કમિટી (MCC)ના સભ્ય સચિવ બી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, યોગ્ય ચર્ચા અને વિચાર-વિમર્શ પછી આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ શ્રેણીઓ માટે NMC સાથે પરામર્શ કરીને કટ-ઓફ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે.

એટલે કે, ક્વોલિફાઇંગ પર્સેન્ટાઇલ સામાન્ય કેટેગરી માટે 35મો પર્સન્ટાઈલ, PH (સામાન્ય) માટે 30મો પર્સન્ટાઈલ અને અનામત કેટેગરી (SC/ST/OBC) માટે 25મો પર્સન્ટાઈલ સુધી ઘટાડી શકાય છે.” શ્રીનિવાસે કહ્યું. ઉપરોક્તને ધ્યાનમાં રાખીને, તમને વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને સુધારેલ પરિણામ જાહેર કરવા અને નવા લાયકાત ધરાવતા ઉમેદવારોના સુધારેલા પરિણામ ડેટાને વહેલામાં વહેલી તકે નીચે સહી કરેલ ઓફિસને મોકલવા.

આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર અખિલ ભારતીય ક્વોટા કાઉન્સિલિંગના બે રાઉન્ડ અને રાજ્ય ક્વોટા કાઉન્સિલિંગના બે રાઉન્ડ પછી પણ લગભગ 8,000 બેઠકો ખાલી રહેવાને ધ્યાનમાં રાખીને નેશનલ મેડિકલ કમિશન (NMC) સાથે પરામર્શ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ સીટોનો બગાડ અટકાવવાનો છે. ટકાવારીમાં આ ઘટાડા સાથે લગભગ 25,000 નવા ઉમેદવારો ચાલુ કાઉન્સેલિંગના મોપ રાઉન્ડમાં હાજર થઈ શકે છે. તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (પોસ્ટ ગ્રેજ્યુએટ), અથવા NEET-PG (અનુસ્નાતક) લેવામાં આવે છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

તાજેતરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET 2022) માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. નોટિફિકેશનના પ્રકાશન પહેલાં નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)એ NEET UG 2022 પરીક્ષા માટે પાત્રતાના માપદંડમાં સુધારો કર્યો છે. NMCએ NEET UG પરીક્ષામાં બેસવા માટેની નિર્ધારિત વય મર્યાદા દૂર કરી છે.

આ પણ વાંચો: KVS admission 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં વધારો, 5 વર્ષની બાળકીની ફરિયાદ પહોંચી કોર્ટમાં

આ પણ વાંચો: CMAT Entrance Exam Date 2022: CMAT એન્ટ્રન્સ એક્ઝામ 9 એપ્રિલે યોજાશે, જાણો ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ

Next Article