IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બેની એક ટીમે ટેસ્લાના સ્થાપક એલન મસ્કના XPRIZE ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્બન રિમૂવલ સ્પર્ધામાં ભારતને ગૌરવ અપાવ્યું છે.

IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું
IIT Bombay
| Edited By: | Updated on: Nov 12, 2021 | 10:53 PM

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે (IIT Bombay) ની એક ટીમે ટેસ્લાના સ્થાપક એલન મસ્કના XPRIZE ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્બન રિમૂવલ સ્પર્ધામાં ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ટીમે વાતાવરણમાંથી કાર્બન દૂર કરી શકે તેવી ટેકનોલોજી વિકસાવવા માટે એક મિલિયન ડોલરનું ઈનામ જીત્યું છે. IIT બોમ્બેના ચાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ COP-26 ખાતે સસ્ટેનેબલ ઇનોવેશન ફોરમમાં આધુનિક ટેકનોલોજી માટે $250,000 (અંદાજે ₹1.85 કરોડ)નું ઇનામ જીત્યું છે.

ચાર સભ્યોની ટીમને તેની કાર્બન-કેપ્ચરિંગ ટેક્નોલોજીને વધુ વિકસિત કરવા માટે $250,000 ની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. હાલમાં ગ્લાસગોમાં ચાલી રહેલા COP-26 ખાતે સસ્ટેનેબલ ઈનોવેશન ફોરમમાં આ ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. એલોન મસ્ક ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્બન રિમૂવલ સ્ટુડન્ટ કોમ્પિટિશન માટે લાયક બનવા માટે, ભાગ લેનારી ટીમોના ઓછામાં ઓછા 50 ટકા સભ્યોએ શૈક્ષણિક સંસ્થામાં નોંધણી કરાવવી જરૂરી હતી.

શ્રીનાથ અય્યર અને તેમની ટીમે જીત્યું ઇનામ

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ એલન મસ્ક ફાઉન્ડેશન દ્વારા આયોજિત XPRIZE કાર્બન રિમૂવલ માઇલસ્ટોન્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શ્રીનાથ અય્યર અને તેની ટીમને 2.5 લાખ ડોલર એટલે કે લગભગ 1 કરોડ 85 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. IIT ના શ્રીનાથ અય્યર (PhD વિદ્યાર્થી), અન્વેષા બેનર્જી (PhD વિદ્યાર્થી), સૃષ્ટિ ભામરે (BTech + MTech) અને શુભમ કુમાર (જુનિયર રિસર્ચ ફેલો-અર્થ સાયન્સ) ભારતની એકમાત્ર ટીમ છે જેણે એવોર્ડ જીત્યો છે.

જેમાં 195 ટીમોએ ભાગ લીધો હતો

વૈશ્વિક સ્તરે 195 ટીમોમાંથી, દસ દેશોની 23 વિજેતા ટીમોને પુરસ્કાર આપવામાં આવશે. ગઈકાલે ગ્લાસગોમાં COP-26 સસ્ટેનેબલ ઈનોવેશન ફોરમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન, મસ્ક ફાઉન્ડેશન અને એક્સપ્રેસ છેલ્લા 4 વર્ષથી કાર્બન ઉત્સર્જન ક્ષેત્રના સંશોધકોને આ એવોર્ડ આપી રહ્યા છે.

પ્રોફેસર અર્નબ દત્તાએ માહિતી આપી હતી

પ્રોફેસર અર્નબ દત્તાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક તાપમાનમાં 1.1 ડિગ્રી સેલ્સિયસનો વધારો ઔદ્યોગિકીકરણ પછી CO2 સ્તરમાં વધારો થવાને કારણે હતો. ઉર્જા, પેટ્રોલિયમ, સ્ટીલ, ખાતર અને સિમેન્ટ ઉદ્યોગો કેટલાક મુખ્ય યોગદાન આપતા ક્ષેત્રો છે. પ્રોફેસર અર્નબ દત્તાએ કહ્યું, અમારો ખ્યાલ હાલના ઉદ્યોગોમાં CO2 ઉત્સર્જનને તેમના સ્ત્રોતોને મર્યાદિત કરવા માટે સામેલ કરવાનો છે.

 

આ પણ વાંચો: UPSC Success Story: કોચિંગ વગર ત્રણ વખત UPSC પરીક્ષા ક્રેક કરી, જાણો IAS હિમાંશુ ગુપ્તા પાસેથી તેમની સફળતાનો મંત્ર

આ પણ વાંચો: CBSE અને ICSE બોર્ડની મનમાની સામે વાલીઓએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર, પરીક્ષા મોકૂફ રહેશે કે બદલાશે પેટર્ન ?

Follow Us