ICAR AIEEA Admit Card 2021: NTAએ ICAR પરીક્ષાનું એડમિટ કાર્ડ કર્યું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Sep 02, 2021 | 9:11 PM

ભારતીય કૃષિ સંશોધન પરિષદની ઓલ ઈન્ડિયા પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશ પત્ર બહાર પાડવામાં આવ્યું છે.

ICAR AIEEA Admit Card 2021: NTAએ ICAR પરીક્ષાનું એડમિટ કાર્ડ કર્યું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
ICAR AIEEA Admit Card 2021

Follow us on

ICAR Admit Card 2021: ભારતીય કૃષિ સંશોધન પરિષદની (Indian Council of Agricultural Research) ઓલ ઈન્ડિયા પ્રવેશ પરીક્ષા (All India Entrance Examination) માટે પ્રવેશ પત્ર બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ- icar.nta.ac.in પર જઈને એડમિટ કાર્ડ (ICAR Admit Card 2021) ડાઉનલોડ કરી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાનારી આ પરીક્ષાનું સુધારેલું શેડ્યૂલ 23 ઓગસ્ટ 2021 ના ​​રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ પરીક્ષા NTA દ્વારા જ લેવામાં આવે છે. ઉમેદવારો વેબસાઈટ પર જઈને જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ એડમિટ કાર્ડ (ICAR Admit Card 2021) ડાઉનલોડ કરવા માટે અરજી નંબર અને પાસવર્ડ સબમિટ કરવો પડશે. પરીક્ષા 7, 8 અને 9 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ લેવામાં આવશે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

  1. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ icar.nta.ac.in ની મુલાકાત લો.
  2. વેબસાઇટ પર આપેલા ICAR AIEEA UG 2021 admit card ની લિંક પર ક્લિક કરો.
  3. હવે અરજી નંબર અને પાસવર્ડ સબમિટ કરો.
  4. તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  5. તેને હમણાં ડાઉનલોડ કરો.
  6. પરીક્ષા હોલમાં લઈ જવા માટે એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ લો.

પરીક્ષાની વિગતો

AIEEA UG 2021, AIEEA PG 2021 અને AIEEA PhD 2021 પ્રવેશ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવાના છે. આ પરીક્ષાઓના પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના હોય છે, જેમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQs) હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમો તેમજ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના UG અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી પ્રવેશ માટેની અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષા (AIEEA) 2021 માટેની અરજી પ્રક્રિયા 25 જુલાઈથી શરૂ થઈ હતી. 36 ખાનગી કોલેજો સહિત 48 વધુ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ હવે ICAR PG, ડોક્ટરલ પ્રવેશ પરીક્ષા આપી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોના નિયમોનું પાલન કરો

આઈસીએઆર અનુસાર, ઉમેદવારોને પરીક્ષાની તારીખ અને પરીક્ષા કેન્દ્રની માહિતી એડમિટ કાર્ડ પર મળશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, એડમિટ કાર્ડ મેળવ્યા પછી તેઓએ પરીક્ષા અને તેના પર આપવામાં આવેલી કોવિડ-19 સંબંધિત સૂચનાઓને સારી રીતે વાંચવી જોઈએ. કોઈપણ ભૂલો માટે પણ તપાસો. ભૂલના કિસ્સામાં, પરીક્ષા સંચાલક એજન્સી NTA ને તેની જાણ કરો.

 

આ પણ વાંચો: Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

Next Article