Indian Defence Recruitment 2022: ભારતીય સેનામાં ભરતી માટે નિયમો બદલાયા છે. હવે સેનામાં ભરતી અગ્નિપથ યોજના હેઠળ થશે. અગ્નિપથ યોજના (Agneepath Scheme) સશસ્ત્ર દળોમાં ચાર વર્ષની શોર્ટ ટર્મ ભરતી થશે. ચાર વર્ષ બાદ માત્ર 15 ટકા લોકોને જ 15 વર્ષ માટે કેડર આપવામાં આવશે. આ ભરતી માટે લાયકાત માત્ર 10 પાસ અને ઉંમર 17 થી 21 વર્ષની રહેશે. અગ્નિવીરોને આ ચાર વર્ષમાં શું-શું સુવિધાઓ આપવામાં આવશે અને તેમને કેટલો પગાર મળશે તે બધું જાણો.
અગ્નિપથ સ્કીમ લોન્ચ થયા બાદ ઘણી જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે. કેટલાક યુવાનો આ યોજનાના સમર્થનમાં નથી. બિહારના અનેક સ્થળોએ લોકોએ ગુસ્સામાં ટ્રેનોને સળગાવી પણ દીધી હતી. અગ્નિપથ યોજના હેઠળ ત્રણેય સેનાઓ દ્વારા રવિવારે આર્મી, એરફોર્સ અને નેવીમાં 4 વર્ષ માટે ભરતી અંગે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિંસામાં સામેલ યુવાનોને સેનાની ભરતીમાં સામેલ કરવામાં આવશે નહીં. અગ્નિવીર બનવા માટે યુવાનોએ સેનામાં ભરતી માટે અરજી કરતા પહેલા એફિડેવિટ આપવી પડશે. આમાં તેઓએ જણાવવાનું છે કે તેઓ કોઈ હિંસામાં સામેલ નથી. સેના દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભરતી પ્રક્રિયા હેઠળ, અરજદારોનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવશે. પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ જ યુવાનો આર્મી ભરતી માટે અરજી કરી શકશે.