રાજીવ જૈન ફરી અદાણી ગ્રૂપ પર થયા મહેરબાન, 4100 કરોડના શેર ખરીદ્યા

|

May 30, 2023 | 11:35 AM

GQG પાર્ટનર્સના ચેરમેન રાજીવ જૈનના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેમની કુલ શેરહોલ્ડિંગ 3 માર્ચથી વધુ છે. હાલમાં તેમનું કુલ રોકાણ $2.2 બિલિયનથી વધીને $2.4 બિલિયન થઈ ગયું છે.

રાજીવ જૈન ફરી અદાણી ગ્રૂપ પર થયા મહેરબાન, 4100 કરોડના શેર ખરીદ્યા
Adani Group

Follow us on

અદાણી ગ્રુપના તારણહાર બની રહેલા રાજીવ જૈને કંપનીઓમાં રોકાણ ચાલુ રાખ્યું છે. રાજીવ જૈન, જેમણે માર્ચના પ્રથમ સપ્તાહમાં રૂ. 15,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું, ત્યારથી તેમણે $330 મિલિયનથી $530 મિલિયન એટલે કે રૂ. 4,100 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. GQG પાર્ટનર્સના ચેરમેન રાજીવ જૈનના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેમની કુલ શેરહોલ્ડિંગ 3 માર્ચથી વધુ છે. હાલમાં તેમનું કુલ રોકાણ $2.2 બિલિયનથી વધીને $2.4 બિલિયન થઈ ગયું છે.

આ પણ વાંચો :Forbes’ New Billionaire : અદાણીના તારણહાર રાજીવ જૈન Forbes ના ધનકુબેરોની યાદીમાં સ્થાન પામ્યા, જાણો કોણ છે આ અબજોપતિ રોકાણકાર

તેમણે અગાઉ કઈ કંપનીઓમાં કેટલું રોકાણ કર્યું હતું?

2 માર્ચે, અદાણી ગ્રૂપે ખુલાસો કર્યો હતો કે GQG એ અદાણી એન્ટરપ્રાઇઝિસ ($660 મિલિયન), અદાણી પોર્ટ્સ ($640 મિલિયન), અદાણી ટ્રાન્સમિશન ($230 મિલિયન) અને અદાણી ગ્રીન એનર્જી ($340 મિલિયન) માં 1.87 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ GQG એ ઓપન માર્કેટમાંથી પણ અદાણીના શેર ખરીદ્યા કે કેમ તે અંગે જૈને ટિપ્પણી કરી ન હતી. તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે પાંચ વર્ષમાં અદાણી પરિવાર પછી વેલ્યુએશનના આધારે અદાણી ગ્રુપમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક બનવા માંગીએ છીએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

QIP દ્વારા ફંડ રેઝિંગ

છેલ્લા કેટલાક મહિનામાં અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ગ્રીનના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. જેના કારણે GQGના રૂ. 15,000 કરોડના રોકાણનું મૂલ્ય વધીને રૂ. 24,414.59 કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન GQGના રોકાણ મૂલ્યમાં 58 ટકાનો વધારો થયો છે. એક મ્યુચ્યુઅલ ફંડ મેનેજરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપમાં GQGનું રોકાણ અન્ય રોકાણકારોમાં પણ વિશ્વાસ જગાડશે.

QIP દ્વારા ભંડોળ ઊભું કરવું

અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા અનુક્રમે રૂ. 12,500 કરોડ અને રૂ. 8,500 કરોડ એકત્ર કરવાનો ઠરાવ પસાર કર્યો છે. અદાણી ગ્રીને બોર્ડ સમક્ષ આવો જ પ્રસ્તાવ મૂક્યો છે. જાન્યુઆરીમાં અદાણી એન્ટરપ્રાઇઝે શેર વેચીને રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે FPO લોન્ચ કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચના 24 જાન્યુઆરીના અહેવાલ પછી સ્ટોકમાં થયેલા ઘટાડાને કારણે 1 ફેબ્રુઆરીએ FPO પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article