PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી

|

Oct 29, 2021 | 9:05 PM

PMJDY યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 44 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. અન્ય બચત ખાતાઓથી વિપરીત, જન ધન ખાતું ખોલાવતી વખતે કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી. તેમાં 2 લાખનો મફત અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે.

PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી
Narendra Modi - File Photo

Follow us on

ઓક્ટોબર 2021 સુધી સાત વર્ષમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ બેંક ખાતાઓની સંખ્યા વધીને 44 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014ના રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી હતી. નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે 28 ઓગસ્ટ 2014 ના રોજ આ યોજના લોન્ચ કરવામાં આવી હતી.

આ રાષ્ટ્રીય મિશન એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું કે લોકોને બેંક, પૈસા મોકલવાની સુવિધાઓ, લોન, વીમો, પેન્શન જેવી નાણાકીય સેવાઓ સરળતાથી મળી રહે. આર્થિક મામલોના વિભાગના આર્થિક સલાહકાર મનીષા સેન શર્માએ ઉદ્યોગ સંગઠન એસોચેમના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પીએમ જન ધન યોજનાને તેની શરૂઆતથી જ અપાર સફળતા મળી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર 2021 સુધી, લગભગ 44 કરોડ લાભાર્થીઓ બેંકો સાથે જોડવામાં આવ્યા છે અને આ યોજના દ્વારા સરકાર વસ્તીના વંચિત વર્ગ પાસેથી તેમના બેંક ખાતામાં નાણાં જમા કરાવવામાં સફળ રહી છે.

જન ધન ખાતું ખોલાવવા પર ઘણા લાભો મળે છે

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

અન્ય બચત ખાતાઓથી વિપરીત, જન ધન ખાતું ખોલાવતી વખતે કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી. ખાતું ખુલવાની સાથે, ગ્રાહકને RuPay ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે જે ઘણી સુવિધાઓથી સજ્જ છે. તેના પર તમામ સુવિધાઓ આપવામાં આવે છે જે બાકી બચત ખાતા પર ઉપલબ્ધ છે.

ડેબિટ કાર્ડની સાથે લાઈફ ઈન્સ્યોરન્સ અને ‘પરચેઝ પ્રોટેક્શન બેનિફિટ્સ’ એટલે કે જો કાર્ડ ચોરાઈ જાય અથવા ટ્રાન્ઝેક્શનમાં કોઈ છેતરપિંડી થઈ હોય, તો સરકાર દ્વારા તેના પર ખાતરી પૂર્વક રક્ષણ આપવામાં આવે છે.

2 લાખનું આકસ્મિક કવર

પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana- PMJDY) હેઠળ, તમને અનેક પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, કોઈ પણ પ્રીમિયમ ચૂકવ્યા વિના તમને આકસ્મિક કવર પણ આપવામાં આવે છે. 28 ઓગસ્ટ 2018 પછી ખાતું ખોલાવનારા ખાતાધારકોને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળવાનું શરૂ થઈ ગયું છે.

જન ધન ખાતું ખોલવા માટેની મહત્વની બાબતો

  1. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે.
  2. આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કેવાયસીની જરૂરિયાતને પૂર્ણ કરતા દસ્તાવેજો સબમિટ કરી શકો છો.
  3. જો તમારી પાસે દસ્તાવેજો નથી, તો તમે સ્મોલ એકાઉન્ટ ખોલાવી શકો છો.
  4. તેમાં તમારે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને બેંક અધિકારીની સામે તમારી સહી કરવાની રહેશે.
  5. જન ધન ખાતું ખોલવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી અથવા ચાર્જ ચૂકવવાની જરૂર નથી.

જન ધન ખાતાના ઘણા ફાયદા

  1. 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ
  2. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા
  3. ફ્રી મોબાઇલ બેંકિંગ, થાપણો પર વ્યાજ
  4. RuPay ડેબિટ કાર્ડ, જેના દ્વારા તમે પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.
  5. સરકારી યોજનાઓના લાભના સીધા પૈસા ખાતામાં આવે છે.
  6. દેશભરમાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે.
  7. જન ધન ખાતા દ્વારા વીમા અને પેન્શન ઉત્પાદનો ખરીદવાનું સરળ છે.

 

આ પણ વાંચો :  BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો

Next Article