એલઆઈસીના IPO (LIC IPO) માટે રોકાણકારોને અરજી કરવામાં મદદ કરવા બેંક યુનિયને રવિવારે બેંક શાખા ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. બેંક ઓફિસર્સ યુનિયને આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને બિનજરૂરી રીતે ખર્ચ વધારવાનું પગલું ગણાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે માહિતી આપી હતી કે LICની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટે ASBA (એપ્લિકેશન બેક્ડ બાય એકાઉન્ટ બ્લોક્ડ માઉન્ટ) સુવિધા ધરાવતી (ASBA bank branch) બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી આ સંબંધમાં એક વિનંતી મળી હતી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોકાણકારો શનિવાર અને રવિવાર એમ બંને દિવસે LICના IPOમાં બિડ લગાવી શકે છે.
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે રોકાણકારો દ્વારા આઈપીઓ માટે ઓનલાઈન અરજીઓના વધતા ઉપયોગને જોતા, એવું અનુમાન છે કે રવિવારે શાખા ખુલ્લી રાખવાથી કોઈ ફાયદો થશે નહીં અને કોઈપણ રોકાણકાર ભૌતિક ફોર્મેટમાં અરજી કરશે નહીં. આવી સ્થિતિમાં, આ પગલું યોગ્ય નથી અને બેંકો આવા પગલાઓ પરનો ઊંચો ખર્ચ સહન કરી શકે નહીં. AIBOC અનુસાર, આ પગલાથી રજાના દિવસે બેંક શાખા ખોલવાથી બેંકો પર 100 કરોડ રૂપિયાથી વધુનો બોજ પડી શકે છે. યુનિયને કહ્યું કે આને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે નિર્ણયની સમીક્ષા કરીને આ નિર્ણય પાછો લેવો જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે જાહેરાત કરી હતી કે ASBA (એપ્લીકેશન સપોર્ટેડ અમાઉન્ટ બ્લોક ઇન ધ એકાઉન્ટ) સુવિધા સાથે LICની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) માટેની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે.
એલઆઈસીના જણાવ્યા અનુસાર નાના રોકાણકારોને આઈપીઓમાં બિડ કરવાની તક આપવામાં આવશે પરંતુ તેમના માટે રોકાણની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલિસી ધારકોને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીના શેર ખરીદવાની તક આપવામાં આવશે. એટલું જ નહીં છૂટક રોકાણકારો IPOમાં માત્ર 2 લાખ રૂપિયા સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ પણ કરી શકશે. જો કે આ માટે તમામ પોલિસી ધારકો માટે ડીમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. કંપનીનો IPO 9 મેના રોજ બંધ થશે.