શું કરશો કદાચ ખોટા એકાઉન્ટમાં UPIથી પૈસા ટ્રાન્સફર કર્યા તો? આ રીતે મેળવી શકશો પરત

ઑનલાઈન બેંકિંગ (Online Banking)ના યુગમાં હવે લોકો બેંકના તમામ કામો તેમના ફોન દ્વારા કરી રહ્યા છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે બેંકની લાંબી લાઈનમાં ઉભા રહેવાને બદલે હવે લોકો UPI દ્વારા પૈસા મોકલી રહ્યા છે,

શું કરશો કદાચ ખોટા એકાઉન્ટમાં UPIથી પૈસા ટ્રાન્સફર કર્યા તો? આ રીતે મેળવી શકશો પરત
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Jun 09, 2021 | 5:47 PM

ઑનલાઈન બેંકિંગ (Online Banking)ના યુગમાં હવે લોકો બેંકના તમામ કામો તેમના ફોન દ્વારા કરી રહ્યા છે. પૈસા ટ્રાન્સફર કરવા માટે હવે બેંકની લાંબી લાઈનમાં ઉભા રહેવાને બદલે હવે લોકો UPI દ્વારા પૈસા મોકલી રહ્યા છે, જેના કારણે તમે થોડીક સેકન્ડમાં એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલો છો. પરંતુ, ઘણી વખત એવું પણ બને છે કે આપણે ઉતાવળમાં બીજા કોઈને પૈસા મોકલીએ છીએ અને તમારી નાની ભૂલ અથવા ઉતાવળ તમારા માટે સમસ્યા બની જાય છે.

 

આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે જો તમે આકસ્મિક રીતે બીજા ખાતામાં પૈસા મોકલો છો તો શું તમને તે પૈસા પાછા મળે છે? આ સાથે તમને એ પણ ખબર હશે કે જો આવી પરિસ્થિતિ તમને ક્યારેય થાય છે તો તમારે શું કરવું જોઈએ અને આ માટે ક્યાં ફરિયાદ કરવી અને તેની પ્રક્રિયા શું છે?

 

તાજેતરમાં એક વ્યક્તિએ તેના એક પરિચિત સાથે આવી ઘટના વિશે ઉલ્લેખ કર્યો. તેના પર બેંક ઑફ બરોડા અને UPIના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટમાંથી કહેવામાં આવ્યું છે કે આમાં શું કરી શકાય છે. આ અંગે યુપીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘અમે તમને સલાહ આપીશું કે કોઈપણ વ્યવહાર કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. ઉતાવળે અને કોઈ પણ ચકાસણી કર્યા વગરની ડિટેલના લીધે કોઈ ખોટી વ્યક્તિના ખાતામાં પૈસા જમા થઈ જાય છે.

 

સાથે જ UPIના એકાઉન્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા બેનિફિશયરીની બધી માહિતી એક વાર તપાસો. કોઈપણ ખોટા ટ્રાન્ઝેક્શન પર વહેલી તકે બેંકનો સંપર્ક કરવો જોઈએ. ‘પરંતુ, ચાલો તમને જણાવી દઈએ કે આ સ્થિતિમાં બેંક તમારા પૈસા પાછા આપવા માટે જવાબદાર નથી હોતી, પરંતુ બેંક એક વખત પૈસા પાછા આપવાનો પ્રયાસ કરી શકે છે.

 

 

કેવી રીતે ફરિયાદ કરવી?

જો પૈસા ટ્રાન્સફર કરતી વખતે પૈસા અન્ય વ્યક્તિના ખાતામાં ગયા હોય તો તે માટે એક અલગ પ્રક્રિયાને અનુસરવી પડશે. જો તમે જે ખાતા પર પૈસા મોકલ્યા છે તે એકાઉન્ટ પણ તે જ બેંકનો ગ્રાહક છે તો તમારે બેંકને જાણ કરવી જોઈએ. આવી સ્થિતિમાં બેંક કર્મચારી લાભકર્તાનો સંપર્ક કરશે અને પૈસા પાછા મોકલવાની વિનંતી કરશે.

 

જો પૈસા પ્રાપ્ત કરનાર વ્યક્તિ સંમત થાય છે તો 7 કાર્યકારી દિવસોમાં પૈસા તમારા ખાતામાં પરત કરવામાં આવશે. જો લાભ લેનાર કોઈ અન્ય શાખાનો છે તો તમારે તે શાખામાં જવું પડશે અને સમાધાન માટે બેંક મેનેજર સાથે વાત કરવી પડશે.