આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે હવે રેપો રેટ 6.50 ટકાથી ઘટી 6.25 ટકા થઈ ગયો છે. એમપીસીના છમાંથી ચાર સભ્યોએ રેપો રેટમાં કપાતનું સમર્થન કર્યું. નવી મૌદ્રિક નીતિ હેઠળ રિવર્સ રેપો રેટ ઘટીને 6 ટકા, જ્યારે બૅંક રેટ 6.50 ટકા પર આવી ગયો છે. આરબીઆઈએ મોટો નિર્ણય કરતા ખેડૂતોને મળતી લોનની લિમિટ પણ વધારી છે. હવે ખેડૂતોને કોઈ પણ ગૅરંટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. અત્યાર સુધી આ લિમિટ 1 લાખ રૂપિયા સુધીની હતી. તેના માટે ટૂંકમાં જ નોટિસ જાહેર કરાશે.
રેપો વ્યાજનો તે દર છે કે જેના પર રિઝર્વ બૅંક બૅંકોને ફંડ ઉપલબ્ધ કરાવે છે. રેપો રેટ ઘટવાથી બૅંકોને આરબીઆઈમાંથી સસ્તું ફંડિગ પ્રાપ્ત થઈ શકશે. તેથી બૅંકો પણ હવે ઓછા વ્યાજ દરે લોન ઑફર કરી શકશે. આનાથી નવી લોન સસ્તી થશે, જ્યારે લોન લઈ ચુકેલા લોકોને કાં તો EMIમાં અથવા રીપમેંટ પીરિયડમાં કપાતનો ફાયદો મળી શકે છે.
આરબીઆઈએ આ નિર્ણય મીડિયમ ટર્મમાં ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI) આધારિત છુટક મોંઘવારી દરને 4 ટકા (2 ટકાથી વધુ) સુધી રાખવાના લક્ષ્યને જોતા લીધા છે. ખાદ્ય કિંમતોમાં સતત ઘટાડાના કારણે ફુગાવો ડિસેમ્બર 2018માં 2.19 ટકા રહ્યો કે જે 18 માસની સૌથી નિચલી સપાટી છે.
જુઓ VIDEO :
[yop_poll id=1169]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 7:11 am, Thu, 7 February 19