Biparjoy Insurance Claim: બિપરજોય બાદ આગળ આવી વીમા કંપની LIC, પીડિતોને રાહત આપવા માટે ભર્યુ આ મોટું પગલું

|

Jun 18, 2023 | 3:50 PM

દેશના પશ્ચિમ કિનારે ત્રાટકેલા ચક્રવાત બિપરજોયે ભારે તબાહી મચાવી છે. આવી સ્થિતિમાં, ભારતીય જીવન વીમા નિગમે લોકો માટે વીમા દાવાના નિયમોને સરળ બનાવ્યા છે.

Biparjoy Insurance Claim: બિપરજોય બાદ આગળ આવી વીમા કંપની LIC, પીડિતોને રાહત આપવા માટે ભર્યુ આ મોટું પગલું
LIC the insurance company that came forward after Biprajoy

Follow us on

LIC એ ચક્રવાત બિપરજોયના પીડિતો માટે વીમા દાવા કરવા માટેના નિયમોને સરળ બનાવ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે અથડાતા આ ચક્રવાતે રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. સાથે જ તેની અસર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી જોવા મળી છે. આવી સ્થિતિમાં LICએ તેના વીમાના નિયમો સરળ બનાવતા આ વાવાઝોડામા નુકસાન થયેલા લોકોને ફાયદો થશે.

 LIC વીમાધારકો માટે રાહત

વીમા નિયમનકાર IRDA (IRDA) ની માર્ગદર્શિકા અનુસાર, LIC એ શનિવારે મોડી સાંજે વીમાધારકો માટે રાહતની જાહેરાત કરી હતી. આ સાથે LICએ ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ના સબ્સ્ક્રાઇબર્સ માટે દાવાની સરળતાના નિયમોની પણ જાહેરાત કરી હતી. એલઆઈસીએ એક નિવેદનમાં કહ્યું છે કે ચક્રવાતમાં જાનહાનિ ઓછી થઈ છે, પરંતુ કંપની પીડિતોના પરિવારો સુધી પહોંચી રહી છે, જેથી આ મુશ્કેલ સમયમાં તેમને મદદ પૂરી પાડી શકાય.

નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે

એલઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિભાગીય સ્તરે નોડલ ઓફિસરને નામાંકિત કરવામાં આવ્યા છે જેથી કરીને લોકો સુધી વીમાના દાવા સરળતાથી પહોંચી શકે. આ અધિકારીઓ રાજ્ય સરકારોના મુખ્ય સચિવો, સચિવો સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરશે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

પોર્ટલ પર અલગથી બનાવાય લિંક

એલઆઈસીએ બિપરજોય ચક્રવાતના પીડિતોને મદદ કરવા માટે તેના પોર્ટલ પર એક અલગ લિંક પણ શરૂ કરી છે. લોકો અહીં જઈને તેમના ક્લેમ સેટલમેન્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં ત્રાટક્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં 120 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. ચક્રવાતી પવનોને કારણે આ વિસ્તારની માળખાકીય સુવિધાઓને ઘણું નુકસાન થયું છે.

અગાઉ, તાજેતરમાં, જ્યારે બાલાસોર, ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો, ત્યારે LIC એ IRDA ની માર્ગદર્શિકા પર વીમા દાવાના નિયમો અને શરતોને સરળ બનાવવાનું કામ કર્યું હતું.

ચક્રવાતમાં નુકસાન થયેલ લોકો માટે રાહત

LIC એ ચક્રવાત બિપરજોયના પીડિતો માટે વીમા દાવા કરવા માટેના નિયમોને સરળ બનાવ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે અથડાતા આ ચક્રવાતે રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. સાથે જ તેની અસર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી જોવા મળી છે. આવી સ્થિતિમાં LICના આ પગલાથી મોટી વસ્તીને ફાયદો થશે. વીમા નિયમનકાર IRDA (IRDA) ની માર્ગદર્શિકા અનુસાર, LIC એ શનિવારે મોડી સાંજે વીમાધારકો માટે રાહતની જાહેરાત કરી હતી. આ સાથે LICએ ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ના સબ્સ્ક્રાઇબર્સ માટે દાવાની સરળતાના નિયમોની પણ જાહેરાત કરી હતી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article