
વેપાર ઉદ્યોગ ધંધા ક્ષેત્રે એક પ્રચલિત કહેવત છે કે, “જેટલું જોખમ વધુ, એટલું વળતર વધારે”. પરંતુ જો આ કહેવતથી ઉંધુ થાય એટલે કે ઓછા જોખમે વધુ વળતર મળે તો. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ વધુ જોખમ કરતા ઓછા જોખમમા વધુ વળતર મેળવવા ઈચ્છે. વગર જોખમે વધુ પૈસા મળતા હોય તો કેમ કોઈ વધુ જોખમ ખેડે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે, સૌ કોઈ આજે સલામત મૂડીરોકાણ કરવા ઈચ્છતા હોય છે. આવુ જ એક સલામત રોકાણ એટલે, G-Sec. જેને ગર્વમેન્ટ સિક્યોરિટી કહેવામાં આવે છે. ઝેરોધાના સહ-સ્થાપક નીતિન કામથે ગયા વર્ષે સૂચન કર્યું હતું કે ટ્રેઝરી બિલ સાથે G-Secમાં રોકાણ કરવું બેંક FD અને અન્ય જોખમી રોકાણ કરતાં વધુ સારું છે.
G-Sec એટલે સરકારી સિક્યોરિટીઝ. બજારમાં ઉપલબ્ધ આ સૌથી સુરક્ષિત રોકાણના વિકલ્પો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2021 માં સરકારી સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ માટે ‘RBI રિટેલ ડાયરેક્ટ’ નામની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. તે પછી, સ્પષ્ટ કારણોસર, G-Sec ની લોકપ્રિયતા નોંધપાત્ર રીતે વધી. નાણાકીય સલાહકારો પણ રોકાણકારોને G-Secsમાં રોકાણ કરવાની સલાહ આપતા હોય છે.
સરકારી સુરક્ષા એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલ એક વેપારી સાધન છે. તે સરકારની દેવાની જવાબદારી સ્વીકારે છે. આ સિક્યોરિટીઝ ટૂંકા ગાળાની હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષથી ઓછી મુદતવાળી પાકતી સિક્યોરિટીઝ, ટ્રેઝરી બિલ તરીકે ઓળખાય છે. જ્યારે તેનાથી વધુ મુદત ધરાવતી સિક્યોરિટીઝને ડેટેડ સિક્યોરિટી કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ અને બોન્ડ અથવા ડેટેડ સિક્યોરિટીઝ બંને જાહેર કરે છે. જ્યારે રાજ્ય સરકારો માત્ર સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ તરીકે ઓળખાતા બોન્ડ્સ અથવા ડેટેડ સિક્યોરિટીઝ જાહેર કરે છે. સરકારી સિક્યોરિટીઝમાં ડિફોલ્ટનું વ્યવહારિક રીતે કોઈ જોખમ નથી.
સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માટે, રોકાણકારોએ આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ હેઠળ આરબીઆઈ ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ્સ ખોલાવવુ પડશે. વ્યક્તિગત રોકાણકારો દ્વારા સરકારી સિક્યોરિટીઝમાં રોકાણની સુવિધા આપવા માટે તે એક-સ્ટોપ સોલ્યુશન છે. આ સ્કીમ હેઠળ વ્યક્તિગત રિટેલ રોકાણકારો આરબીઆઈમાં ખાતું ખોલાવી શકે છે.
જેમ તમે કલ્પના કરી શકો છો, ખાતું ખોલાવવું ઓછામાં ઓછું ખૂબ અનુકૂળ છે, અને બચત બેંક ખાતું અને પાન નંબર ધરાવતા કોઈપણ રિટેલ રોકાણકાર તેને ખોલાવી શકે છે. બસ ખાતુ ખોલાવનારના મૂળભૂત ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જોઈએ. વળતરની વાત કરીએ તો સરકારી સિક્યોરિટીઝમાં વાર્ષિક 7.4 ટકાના દરે વળતર આપવામાં આવે છે.