
ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે ટ્રેનની ટિકિટ બુકિંગ અને કેન્સલેશન માટે ઓનલાઈન સિસ્ટમ બનાવી છે. જેના દ્વારા તમે સરળતાથી ઘરે બેઠા ટિકિટ કેન્સલ કરાવી શકો છો. ટિકિટ કેન્સલ કરવા પર ચાર્જ લેવામાં આવે છે. તેથી તમારે એ જાણવું જરૂરી છે કે, તેના માટે તમારે કેટલો ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે, કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલો ચાર્જ લાગશે.
જો તમે તમારી કન્ફર્મ, RAC અથવા વેઇટલિસ્ટેડ ટિકિટ રદ કરો છો, તો ભારતીય રેલવે કેટલિક રકમ કાપે છે. કપાતની રકમ ટિકિટ રદ કરવાના સમયના આધારે બદલાય છે. ભારતીય રેલવેના કેન્સલેશન ચાર્જ ટિકિટના પ્રકાર પર પણ આધાર રાખે છે. એસી ફર્સ્ટ, એસી-ચેર કાર, સેકન્ડ ક્લાસ વગેરે. અહીં જાણો રેલવેના ટિકિટ કેન્સલેશન રિફંડ નિયમ વિશે.
આ પણ વાંચો : ગઢપણમાં નહીં રહે રૂપિયાનું ટેન્શન! તમને મળશે પેન્શન, જાણો સરકારની યોજના NPS માં કેવી રીતે ખૂલશે એકાઉન્ટ
ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ નવ મહિનામાં પેસેન્જર કેટેગરીમાં તેની અંદાજિત આવક એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન 28,569 કરોડથી વધીને 48,913 કરોડ રૂપિયા થઈ હતી. જેમાં 71 ટકાનો વધારો થયો હતો. 1 એપ્રિલથી 31 ડિસેમ્બર, 2022 સુધીમાં આરક્ષિત પેસેન્જર સેગમેન્ટમાં બુક કરાયેલા મુસાફરોની અંદાજિત કુલ સંખ્યા 59.61 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 56.05 કરોડ રૂપિયાથી વધીને 6 ટકા વધી છે.
Published On - 1:01 pm, Thu, 21 December 23