HDFC Bank તેના Auto Loan ગ્રાહકોને કમિશન પરત કરશે , GPS ડિવાઇસ ખરીદવા ગ્રાહકોને કર્યું હતું દબાણ , જાણો શું છે મામલો

|

Jun 19, 2021 | 8:57 AM

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે(HDFC Bank)એ ગુરુવારે તેના ઓટો લોન( AUTO LOAN)ગ્રાહકો પાસેથી છ વર્ષ માટે વસૂલાયેલા વિવાદિત "GPS device commission" ને પરત આપવાની જાહેરાત કરી છે.

HDFC Bank તેના Auto Loan ગ્રાહકોને કમિશન પરત કરશે , GPS ડિવાઇસ ખરીદવા ગ્રાહકોને  કર્યું હતું દબાણ , જાણો શું છે મામલો
HDFC BANK

Follow us on

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે(HDFC Bank)એ ગુરુવારે તેના ઓટો લોન( AUTO LOAN)ગ્રાહકો પાસેથી છ વર્ષ માટે વસૂલાયેલા વિવાદિત “GPS device commission” ને પરત આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે બેંકના તત્કાલીન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદિત્ય પુરીએ આક્ષેપો સામે આવ્યા બાદ ઓટો લોન વિતરણમાં ગેરરીતિઓ સ્વીકારી હતી. આ વર્ષની શરૂઆતમાં રિઝર્વ બેંકે પણ લોન વિતરણમાં ક્ષતિઓ માટે બેંક પર રૂ 10 કરોડનો દંડ ફટકાર્યો હતો.

એચડીએફસી બેંકે જાહેર નોટિસમાં કમિશનને પરત આપવાની જાહેરાત કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એચડીએફસી બેંક નાણાકીય વર્ષ 2013-14થી નાણાકીય વર્ષ 2019-20 વચ્ચે ઓટો લોન ફાઇનાન્સિંગ હેઠળ જીપીએસ સાધનો લેનાર ઓટો લોન ગ્રાહકોને જીપીએસ સાધનોના કમિશનને પરત આપશે. રિફંડની રકમ બેંકમાં નોંધાયેલા ગ્રાહકોના બેંક ખાતામાં જમા થશે. બેન્કે ગ્રાહકોને આગામી 30 દિવસમાં તેમની સાથે સંપર્ક સાધવા પણ જણાવ્યું છે.

બેંક પર લોન સાથે રૂ 18,000 થી વધુના ખર્ચે ઓટો લોન લેણદારોને જીપીએસ ઉપકરણો ખરીદવા માટે મજબૂર કરવાનો આરોપ હતો. આનાથી ગોપનીયતા અંગેના પ્રશ્નો ઉભા થયા હતા . આનાથી અન્ય કોઈ ને વાહન વેચવા પર પ્રતિબંધ મૂકતા હાલના નિયમોનું ઉલ્લંઘન કરવા ઉપરાંત આવા ઉપકરણમાંથી વાહનનું લોકેશન જાણી શકાતું હતું.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

અટકેલી સેવાઓ શરૂ કરવા આરબીઆઈ સાથે વાતચીત ચાલી રહી છે
એચડીએફસી બેંકે કહ્યું કે પ્રતિબંધિત સેવાઓ શરૂ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સતત સંપર્કમાં છે પરંતુ તે માટે સમયસીમાં આપવી મુશ્કેલ રહેશે. આરબીઆઈએ એચડીએફસી બેંકને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી બેંકના ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સિસ્ટમની ખામીઓ સુધરાઈ ન થાય ત્યાં સુધી નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરવું. એચડીએફસી બેંકે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે નેટવર્કને લગતી સમસ્યાઓના નિવારણ માટે ‘ડિજિટલ ફેક્ટરી’ અને ‘એન્ટરપ્રાઇઝ ફેક્ટરી’ અભિયાનના રૂપમાં નવી તકનીક બનાવશે.

જોકે, બેંકે એમ પણ કહ્યું છે કે તે જૂની બેંકિંગ સિસ્ટમ સાથે ચાલુ રહેશે અને ગરબડીની સ્થિતિમાં સેવાને પુનર્સ્થાપિત કરવા માટે લેવામાં આવતા સમયને ઘટાડવાનું કામ કરી રહી છે. ડિસેમ્બર 2020 માં એક મોટું પગલું ઉપાડતા આરબીઆઈએ એચડીએફસી બેંકને ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સિસ્ટમમાં ખામી હોવાને કારણે નવી ડિજિટલ બેંકિંગ પહેલ અને ક્રેડિટ કાર્ડ જારી કરવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી પછી પણ આ ભૂલો ચાલુ રહી હતી અને તાજેતરમાં મંગળવારે બેંકની મોબાઇલ એપ્લિકેશન 90 મિનિટ સુધી કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Next Article