Cyclone Tauktae Effect : વાવાઝોડાના કારણે અગર એક મહિનો વહેલા ઠપ્પ થયા , 8 લાખ ટન મીઠું ધોવાઈ જતાં ભાવ વધારાની ચિંતા

|

May 21, 2021 | 2:13 PM

ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકામાં વિશાળ સમુદ્ર કાંઠો આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં મીઠાના અગર આવેલા છે. તાઉ તે વાવાઝોડાના કારણે તેજ પવન અને ભારે વરસાદના કારણે 7.5 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે.

Cyclone Tauktae Effect : વાવાઝોડાના કારણે અગર એક મહિનો વહેલા ઠપ્પ થયા , 8 લાખ ટન મીઠું ધોવાઈ જતાં ભાવ વધારાની ચિંતા
વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને મોટું નુકશાન પહોંચ્યું છે.

Follow us on

ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકામાં વિશાળ સમુદ્ર કાંઠો આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં મીઠાના અગર આવેલા છે. તાઉ તે વાવાઝોડાના કારણે તેજ પવન અને ભારે વરસાદના કારણે 8 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. ૧૫ જૂન સુધી ચાલતી સીઝન વાવાઝોડાના કારણે એક મહિનો વહેલી પુરી કરવાની ફરજ પડી છે

ભરૂચ એક ઔદ્યોગિક જિલ્લો છે જ્યાંથી મીઠાનો મોટો જથ્થો કોસ્ટિક અને ક્લોરીનનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં ખુબ મોટા પ્રમાણમાં જાય છે.જિલ્લામાં આવેલા મીઠા ઉધોગને વાવઝોડાથી કમરતોડ ફટકો પડ્યો છે. મીઠા ઉધોગમાં ભરઉનાળામાં કે જયારે મીઠાનું ઉત્પાદન મેળવવાની તૈયારી વચ્ચે અચાનક તાટકેલાં વાવાઝોડાએ ઉત્પાદન અને તેના વેચાણથી સારા નફાની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું.

૪૦ હજાર એકરમાં મીઠાના અગરને નુકશાન
ભરૂચ જિલ્લામાં 40,000 એકરમાં આવેલા 160 મીઠાના અગરને 110 KM ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા અને 4 ઇંચ વરસેલા વરસાદથી મરણતોલ ફટકો પડયો છે. 50 કરોડ રૂપિયાના પ્રોડક્શનમાં નુકશાનીનો માર વેઠવાનો વારો આવ્યો છે. જેને ધ્યાને લઇ મીઠા ઉદ્યોગ માટે રાહત પેકેજ જારી કરવા સરકારી તંત્રને રજુઆત કરાઈ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દૈનિક ૨૫હજાર મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા
વાવાઝોડામાં 4 થી 6 ઈંચ વરસાદ તથા 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલ પવનને લીધે બેવડો માર માર્યો છે. વાગરા, જંબુસર, હાંસોટ વિસ્તારમાં રોજનું અંદાજીત 25000 મે.ટન થી વઘુ મીઠાનું ઉત્પાદન ક્ષમતા છે. જે 15 જુન થી પણ વધુ સમય માટે ઉત્પાદિત થવાનો અંદાજ હતો પરંતુ મીઠાનું ઉત્પાદન 4 થી 6 ઈંચ વરસાદ પડવાને લીધે સંપૂર્ણપણે ધોવાઇ ગયું છે.

8,00,000 ટનથી વધુ મીઠાનું ઘોવાણ થયું
સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચરર એસો.ના પ્રમુખ સુલતાન પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડા અને વરસાદના કારણે અંદાજીત 8,00,000 ટનથી વધુ મીઠાનું ઘોવાણ થયું છે. મીઠાની સીઝનને ફરીથી શરૂ કરવા માટે હવે દોઢ થી બે મહિનાનો સમયગાળો લાગે છે. આ સંજોગોમાં મીઠાના ઉત્પાદનની મૂળભૂત જરૂરિયાત પાણી અને ક્યારીઓ છે. ક્યારી બનાવવી અને ૧ મહિનામાં પાણી ભરી બાષ્પીભવન કરવું હવે અસંભવ છે.

ભરૂચ જિલ્લામાં 40,000 એકરથી વધુ મીઠાની જમીનો ફાળવેલ છે જે જોતા અંદાજીત નુકશાન ₹40 થી 50 કરોડ જેટલું થાય છે. આ ઉપરાંત સોલ્ટ વર્કસમાં આવેલ વીજળીના થાંભલા , વીજ વાયરો , રહેણાંકના પતરા જેવી નુકશાની અલગ છે. સેન્ટ્રલ એન્ડ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ સુલતાન પટેલે સરકાર સમક્ષ નુકશાની અંગે રજુઆત કરી રાહત પેકેજ જારી કરવા માંગ કરી છે

સરકાર પાસે રાહત પેકેજની મીઠા ઉદ્યોગની માંગણી
જિલ્લામાં વર્ષે 18 લાખ ટન મીઠું ઉત્પાદિત થાય છે. જે પેકી 20% ફૂડ અને 80 % ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય  થાય છે. ભરૂચ જિલ્લાના તમામ મીઠા ઉત્પાદકોને 5000 રૂપિયા પ્રતિ એકર પ્રમાણે આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ તેવી માંગ કરાવમાં આવી છે.

Next Article