Taxને લઈને ખાસ મધ્યમવર્ગ માટે આવતીકાલે સરકાર કરી શકે છે Budgetમાં આ મોટી જાહેરાતો

|

Jan 31, 2019 | 8:02 AM

સામાન્ય જનતાને 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર અંતરિમ બજેટથી ઘણી આશાઓ છે. નાણાંમંત્રી મિડલ ક્લાસને કંઈક એવી ભેટ પણ આપી શકે છે જેનાથી તેમની આવક વધી જશે અને વધુ બચત કરી શકવા સક્ષમ બનશે. સરકારના પિટારામાંથી શું શું નીકળશે તે જાણવા માટે લોકોમાં ઉત્સુક્તા ઘણી વધી રહી છે. ત્યારે આ વખતે કેન્દ્ર […]

Taxને લઈને ખાસ મધ્યમવર્ગ માટે આવતીકાલે સરકાર કરી શકે છે Budgetમાં આ મોટી જાહેરાતો

Follow us on

સામાન્ય જનતાને 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર અંતરિમ બજેટથી ઘણી આશાઓ છે. નાણાંમંત્રી મિડલ ક્લાસને કંઈક એવી ભેટ પણ આપી શકે છે જેનાથી તેમની આવક વધી જશે અને વધુ બચત કરી શકવા સક્ષમ બનશે.

સરકારના પિટારામાંથી શું શું નીકળશે તે જાણવા માટે લોકોમાં ઉત્સુક્તા ઘણી વધી રહી છે. ત્યારે આ વખતે કેન્દ્ર સરકાર મિડલ ક્લાસ માટે આ ચાર મોટી જાહેરાતો કરી શકે છે.

વધી શકે છે ટેક્સ છૂટની સીમા

હાલના સમયમાં લોકોએ અઢી લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી આપવાનો રહેતો. પરંતુ એવી આશા સેવાઈ રહી છે કે સરકાર ટેક્સ છૂટની સીમા વધારીને 4 લાખ રૂપિયા સુધી કરવાની છે. લોકો ટેક્સ છૂટની સીમા વધે તેની રાહ લાંબા સમયથી જોઈ રહ્યાં છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

અઢી લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ 5 ટકા દરથી ટેક્સ આપવાનો હોય છે. 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ 20 ટકાના દરે ટેક્સ આપવાનો હોય છે અને 10 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોએ 30 ટકાના દરે ટેક્સ ચૂકવવાનો રહે છે.

TV9 Gujarati

 

પેંશનર્સને થઈ શકે છે ફાયદો

ટેક્સ છૂટ ઉપરાંત સરકાર પેંશનર્સ માટે ઈન્કમ ટેક્સથી જોડાયેલા ફાયદાની જાહેરાત કરી શકે છે. તમને કહી દઈએ કે ગયા દિવસોમાં નાણાં મંત્રી અરૂણ જેટલીએ મિડલ ક્લાસ અને પેંશનર્સને ઈન્કમ ટેક્સમાં છૂટ આપવા માટે ટેક્સ વિભાગ સાથે પણ ચર્ચા કરી હતી. એટલે આશા સેવાઈ રહી છે કે ઈન્ટરિમ નાણાં મંત્રી પિયૂષ ગોયલ તેને લઈને મહત્ત્વની જાહેરાત કરી સકે છે જેનાથી નોકરીયાત લોકોને તેમજ મિડલ ક્લાસ લોકોની પૈસામાં વધુ બચત થશે.

હાઉસિંગ લોનના વ્યાજ પર છૂટ વધવાની આશા

આટલું જ નહીં, આ અંતરિમ બજેટમાં હાઉસિંગ લોનના વ્યાજ પર પણ છૂટ જાહેર કરાઈ શકાય છે. તમને કહી દઈએ કે હોમ લોન પર ચૂકવાયેલા વ્યાજ પર ટેક્સ પર કપાત, કન્સ્ટ્રક્શનના સમયથી લઈને કામ પૂરું થાય ત્યાં સુધીમાં હાંસલ કરી શકાય છે. આ ફાયદો લેવા માટે લોનની અરજી ઘરના નિર્માણ માટે કરેલી હોવી જોઈએ અને 5 વર્ષની અંદર ઘરનું કન્સ્ટ્રક્શન પણ પૂરું થઈ જવું જોઈએ.

બચતની સીમા વધારવા પર પણ થઈ શકે છે જાહેરાત

મધ્યમવર્ગના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખીને સરકાર બચતની મર્યાદા વધારવા પર પણ કામ કરી રહી છે. મિડલ ક્લાસને સરકાર પાસેથી આશા છે કે આગામી અંતરિમ બજેટમાં સરકાર તેમના માટે મહત્ત્વના અને ફાયદાકારણ જાહેરાતો કરશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તેમના માટે શું જાહેરાતો કરે છે.

[yop_poll id=931]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article