Baba Ramdevની કંપની પતંજલી આયુર્વેદે કોરોનાની સ્થિતિથી છુટકારો મેળવવા માટે અગાઉ ઈમ્યુનિટી બુસ્ટર દવા લોન્ચ કરી હતી જે બાદ આજે એક નવી દવા લોન્ચ કરી છે કે જેને WHO સર્ટીફાઈટ હોવાનો દાવો પણ બાબા રામદેવ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે આ દવાનું નામ પણ કોરોનીલ ટેબલેટ જ છે. પતંજલીનું કહેવું છે કે આ દવાથી દુનિયાનાં 158 દેશને કોરોનામાંથી છુટકારો મેળવવામાં રાહત મળશે. દવાનાં લોન્ચીંગ સમયે પ્રધાન હર્ષવર્ધન અને નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.