જે કંપનીએ 501 રૂપિયામાં દુનિયા મુઠ્ઠીમાં કરવાનું શીખવાડ્યું, તે આજે થઈ ગઈ નાદાર !

|

Feb 02, 2019 | 6:35 AM

દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન અને રિલાયંસ ઔદ્યોગિક ગૃહ સાથે સંબંધ ધરાવતા અનિલ અંબાણનો કૉમ્યુનિકેશન બિઝનેસ દેવાળિયુ થવાના આરે છે. ભારતમાં એક સમયે મોબાઇલ સેવા પ્રદાતા કંપનીઓમાં ટૉપ રહેલી રિલાયંસ કૉમ્યુનિકેશન (RCOM) લિમિટેડે નાદાર થવાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે. અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની આરકૉમે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચમાં નાદાર થવાની અરજી દાખલ […]

જે કંપનીએ 501 રૂપિયામાં દુનિયા મુઠ્ઠીમાં કરવાનું શીખવાડ્યું, તે આજે થઈ ગઈ નાદાર !

Follow us on

દેશના જાણીતા બિઝનેસ ટાયકૂન અને રિલાયંસ ઔદ્યોગિક ગૃહ સાથે સંબંધ ધરાવતા અનિલ અંબાણનો કૉમ્યુનિકેશન બિઝનેસ દેવાળિયુ થવાના આરે છે.

ભારતમાં એક સમયે મોબાઇલ સેવા પ્રદાતા કંપનીઓમાં ટૉપ રહેલી રિલાયંસ કૉમ્યુનિકેશન (RCOM) લિમિટેડે નાદાર થવાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે. અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની આરકૉમે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચમાં નાદાર થવાની અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : આજનું રાશિ ફળ : આ રાશિઓના લોકોનું આજે ચમકવાનું છે કિસ્મત, GIRL FREIND તરફથી મળશે ફાયદો, ક્યાંક તમારી તો નથી આ રાશિમાંથી કોઈ એક રાશિ ?

આરકૉમે શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીએ એનસીએલટીની જોગવાઇઓ હેઠળ ડેબ્ટ રિઝ્યુલેશન પ્લાન પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીને લોન આપનારાઓ વચ્ચે સંમતિ નથી સધાઈ શકી. આ ઉપરાંત અનેક કાયદાકીય પડકારોના કારણો પણ આરકૉમને લોનની ચુકવણીમાં મુશ્કેલીઓ નડી રહી છે.

આ પણ વાંચો : દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલના આ ‘શરમજનક કૃત્ય’એ એક ‘આમ આદમી’ને ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યા અને દેવામાં ડૂબાડી દીધાં !

દેવામાં ડૂબેલી ટેલિકૉમ કંપની આરકૉમે કહ્યું, ‘રિલાયંસ કૉમ્યુનિકેશન્સના નિયામક મંડળે એનસીએલટીના માધ્યમથી ઋણ સમાધાન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે શુક્રવારે કંપનીની ઋણ ચુકવણી યોજનાની સમીક્ષા કરી કે જેમાં જણાયું કે 18 મહિના વીત્યા બાદ પણ સંપત્તિઓને વેચવાની યોજનાઓથી ઋણદાતાઓને અત્યાર સુધી કંઈ પણ નથી મળી શક્યું.’

આરકૉમે આ નિવેદનમાં જણાવ્યું, ‘આ જ આધારે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે નક્કી કર્યું કે કંપની એનસીએલટી મુંબઈના માધ્યમથી ઝડપથી સમાધાનનો વિકલ્પ પસંદ કરશે. બોર્ડનો વિચાર છે કે આ પગલું તમામ સંબંધિત પક્ષોના હિતમાં રહેશે.’

કંપનીએ એનસીએલટીના શરણે જવાના નિર્ણય પાછળના તર્ક જણાવતા કહ્યું કે કંપનીને ઉધાર આપનાર 40 દેશી અને વિદેશી સંસ્થાઓ વચ્ચે સંપૂર્ણપણે મતભેદ છે. જોકે છેલ્લા 12 મહિનાઓમાં તેમની વચ્ચે સંમતિ સધાવવા માટે 45 બેઠકો કરવામાં આવી. આ ઉપરાંત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તથા દૂરસંચાર અને અપીલ ન્યાયાધિકરણ (TDSAT) સમક્ષ પણ કંપની વિરુદ્ધ ડઝનબંધ કેસો પડતર છે. કંપનીએ કહ્યું કે આ જટિલતાઓના પગલે કંપની એનસીએલટીના શરણે ગઈ છે. અહીં તમામ લોનનો પારદર્શકતા તથા સમયબદ્ધ પ્રક્રિયામાં એટલે કે 270 દિવસોની અંદર નિપટારો થઈ શકશે.

કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે આરકૉમ તથા તેની બે સબસીડરી કંપનીઓ રિલાયંસ ટેલિકૉમ તથા રિલાયંસ ઇન્ફ્રાટેલ લિમિટેડ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના નિર્ણયને લાગુ કરવા માટે જરૂરી પગલા ભરશે. આ નિર્ણયની કંપનીની બીજી સબસીડરી કંપનીઓ પર કોઈ અસર નહીં પડે.

[yop_poll id=976]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:54 am, Sat, 2 February 19

Next Article