Anil Ambani Birthday: ભાઇથી અલગ થયા પછી બિઝનેસમાં થઇ પડતી, જાણો બે દાયકાની ઇનસાઇડ સ્ટોરી

|

Jun 04, 2023 | 9:54 AM

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી તેમના પિતા ધીરુભાઈ અંબાણીના બિઝનેસને અલગથી આગળ લઈ જઈ રહ્યા છે. પરંતુ છેલ્લા 15 વર્ષમાં મુકેશ અંબાણીએ રિલાયન્સના બિઝનેસમાં પોતાનો હિસ્સો સફળતાના શિખરો પર પહોંચાડ્યો છે, જ્યારે અનિલ અંબાણીના બિઝનેસમાં મુશ્કેલી છે.

Anil Ambani Birthday: ભાઇથી અલગ થયા પછી બિઝનેસમાં થઇ પડતી, જાણો બે દાયકાની ઇનસાઇડ સ્ટોરી
Happy Bierhday Anil Ambani

Follow us on

આજે અનિલ અંબાણીનો જન્મદિવસ (Anil Ambani Birthday) છે, તેઓ હવે 64 વર્ષના છે. અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો હતો. આજની તારીખે અનિલ અંબાણી આર્થિક રીતે તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી કરતા નબળા છે. આખરે એવું તો શું થયું કે અનિલ અંબાણી બિઝનેસમાં આટલા પાછળ પડી ગયા.

આ પણ વાંચો: દારૂના વૈકલ્પિક સેવન તરીકે દવાનો થઇ રહ્યો છે ઉપયોગ, હવે સરકાર લગામ લગાવશે

મુકેશ અંબાણી(Mukesh Ambani) અને અનિલ અંબાણીને બિઝનેસ વારસામાં મળ્યો છે. આજે બંને ભાઈઓ તેમના પિતા ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)ના બિઝનેસને અલગથી આગળ લઈ જઈ રહ્યા છે. પરંતુ છેલ્લા 15 વર્ષમાં મુકેશ અંબાણીએ રિલાયન્સના બિઝનેસમાં પોતાનો હિસ્સો સફળતાના શિખરો પર પહોંચાડ્યો છે. જ્યારે અનિલ અંબાણીના બિઝનેસમાં મુશ્કેલી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

બિઝનેસ બે ભાઈઓ વચ્ચે વહેંચાયો ત્યારે અનિલ અંબાણીની સ્થિતિ મજબૂત માનવામાં આવી હતી. પરંતુ સમયની સાથે તેમના વ્યવસાયે ઉતાર-ચઢાવ બાદ આજે તેમની કંપનીઓ દેવાના બોજ હેઠળ દટાઈ ગઈ છે. બીજી તરફ મુકેશ અંબાણીના દરેક બિઝનેસમાં ચમક જોવા મળી રહી હતી.

મોટા બિઝનેસનું સામ્રાજ્ય વારસામાં મળ્યું

વર્ષ 2000 ની વાત છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણીનું 70 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય વેપાર જગત માટે આ મોટો ફટકો હતો. પરંતુ ધીરુભાઈના અવસાન પછી જે બન્યું તેની કદાચ દેશના ઉદ્યોગકારોએ કલ્પના પણ કરી ન હોય. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને તેમના પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી વિશાળ બિઝનેસ સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું. એવી અપેક્ષા હતી કે પિતાના અવસાન પછી બંને ભાઈઓ સાથે મળીને રિલાયન્સના બિઝનેસ વારસાને વિસ્તારશે. પરંતુ આવું ન થયું.

બે ભાઈઓની કડવાશ

પિતા ધીરુભાઈ અંબાણીના અવસાનને બે વર્ષ જ થયા હતા અને બંને ભાઈઓ વચ્ચેની કડવાશ જાણીતી બની ગઈ હતી. મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે અવિશ્વાસની ખાડી એટલી વધી ગઈ કે માતા કોકિલાબેને દરમિયાનગીરી કરવી પડી. તેમણે જ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસની વહેંચણી કરી હતી. કોકિલાબેને ઓઇલ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ્સનો બિઝનેસ મુકેશને સોંપ્યો, જ્યારે અનિલને ટેલિકોમ, ફાઇનાન્સ અને એનર્જી યુનિટ્સ મળ્યા. આ સિવાય બંને ભાઈઓએ એકબીજા સાથે હરીફાઈ કે સ્પર્ધા ન કરવાના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મુકેશ ટેલિકોમ બિઝનેસમાં પગ નહીં મૂકે, જ્યારે અનિલ એનર્જી અને પેટ્રોકેમિકલ્સથી દૂર રહેશે.

મુકેશના હાથમાંથી ટેલિકોમ બિઝનેસ સરકી ગયો

વિભાજનમાં અનિલ અંબાણીને તે તમામ બિઝનેસ મળી ગયા, જે તેમને જોઇતા હતા. પરંતુ જે ટેલિકોમ બિઝનેસ મુકેશ અંબાણીએ પોતાના હાથે પાણી પીવડાવીને તૈયાર કર્યો હતો. તે તેના હાથમાંથી નીકળી ગયો. પરંતુ મુકેશ તે સમયે મૌન રહ્યા. બિઝનેસના વિભાજન બાદ શરૂઆતમાં અનિલ અંબાણી માટે પરિસ્થિતિઓ અનુકૂળ હતી. પરંતુ સમય આગળ વધતો ગયો અને તેના ધંધામાં પતનનો સમય શરૂ થયો. ત્યારબાદ 2008ની મંદીએ તેમને મોટો ફટકો આપ્યો હતો. બીજી તરફ મુકેશ અંબાણીના હિસ્સામાં જે બિઝનેસ આવ્યો હતો તેણે સફળતાનો માર્ગ અપનાવ્યો હતો.

અનિલની આર્થિક સ્થિતિ કેમ બગડતી ગઈ?

નિષ્ણાતો માને છે કે પારિવારિક વ્યવસાયના વિભાજન પછી તરત જ, અનિલ અંબાણી દ્વારા દરેક વ્યવસાયિક નિર્ણય મહત્વાકાંક્ષાને પગલે લેવામાં આવતો હતો. આ સિવાય તેને કોઈપણ વ્યૂહરચના વગર સ્પર્ધામાં કૂદી પડવામાં રસ હતો. 2008ની વૈશ્વિક મંદીએ પણ અનિલ અંબાણીને મોટો ફટકો આપ્યો હતો. એક અંદાજ મુજબ, અનિલ અંબાણીને આ મંદીમાં $31 બિલિયનનું નુકસાન થયું છે. આ પછી અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ સતત કથળતી ગઈ.

મુકેશ અંબાણીએ તક ઝડપી લીધી

બીજી તરફ મુકેશ અંબાણી દરેક પગલું સાવધાનીથી ઉઠાવી રહ્યા હતા. દરમિયાન, બંને ભાઈઓ વચ્ચે બિન-સ્પર્ધાત્મક કલમ 2010 માં સમાપ્ત થઈ ગઈ. મુકેશ અંબાણીએ આને તક તરીકે લીધી. તેણે તરત જ ટેલિકોમ સેક્ટરમાં આવવાનું નક્કી કર્યું. તેની તૈયારીમાં તેણે આગામી સાત વર્ષમાં 2.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. પછી નવી કંપની Reliance Jio Infocomm માટે હાઇ સ્પીડ 4G વાયરલેસ નેટવર્ક બનાવ્યું.

મુકેશ અંબાણીનો બિઝનેસ ચમકી રહ્યો છે

મુકેશ અંબાણીના આ પગલાએ તેમને એક જ ઝાટકે દરેક ગામમાં ઓળખ આપી. આ દરમિયાન મુકેશ અંબાણીના એનર્જી અને પેટ્રોકેમિકલ બિઝનેસે પણ દરરોજ નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. આજે મુકેશ અંબાણીનો બિઝનેસ ચમકી રહ્યો છે, પરંતુ અનિલ અંબાણીની કંપનીઓ દેવામાં ડૂબી ગઈ છે. મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. આ સિવાય તે બીજા ઘણા નવા સેક્ટરમાં પણ પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. બીજી તરફ અનિલ અંબાણીની કંપનીઓ પર બેંકોનું મોટું દેવું છે.

Published On - 9:53 am, Sun, 4 June 23

Next Article