અંતે Gautam Adani એ ચુપ્પી તોડી, Hindenburg રીપોર્ટને ગણાવ્યું કાવતરૂ

Gautam Adani On Hindenburg: ગ્રૂપની 32મી એજીએમમાં ​​બોલતા અબજોપતિ ગૌતમ અદાણીએ ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપને બદનામ કરવા માટે આ કાવતરૂ બનાવવામાં આવ્યું છે.

અંતે Gautam Adani એ ચુપ્પી તોડી, Hindenburg રીપોર્ટને ગણાવ્યું કાવતરૂ
Gautam Adani
| Updated on: Jun 24, 2024 | 3:53 PM

Gautam Adani Birthday : અદાણી ગ્રૂપ (Adani Group)ના ચેરમેન અને એશિયાના બીજા સૌથી ધનિક ગૌતમ અદાણીનો આજે જન્મદિવસ છે અને તેઓ 62 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસ પર યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (Adani AGM 2024) માં બોલતા, તેમણે અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ (Hindenburg) પર આકરા પ્રહારો કર્યા . ગૌતમ અદાણીએ કહ્યું કે હિંડનબર્ગ માત્ર અમને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

અદાણીએ કહ્યું-હિંડનબર્ગે ગ્રુપને બદનામ કરવાનું કાવતરું બનાવ્યું હતું

સોમવારે અદાણી ગ્રૂપની 32મી એજીએમમાં ​​ચેરમેન ગૌતમ અદાણીએ હિંડનબર્ગ વિશે ખુલ્લીને વાત કરી હતી અને કહ્યું હતું કે હિંડનબર્ગનું ગ્રુપને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું , ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે છે કોઈપણ અવરોધ અદાણી જૂથને નબળું પાડિ શકશે નહીં

હિન્ડેનબર્ગના આરોપોને નથી મળ્યા પુરાવા

ગૌતમ અદાણીએ હિંડનબર્ગની ઘટનાને અદાણી ગ્રુપ પર દ્વિપક્ષીય હુમલો ગણાવ્યો હતો. જે અંતર્ગત અમારા આર્થિક સ્થિતી પર અસ્પષ્ટ ટીકા કરવામાં આવી હતી, જેના કોઈ પુરાવા મળ્યા નથી. અબજોપતિ ઉદ્યોગપતિએ વધુમાં કહ્યું કે અમારું જૂથ તેનું કામ પારદર્શક રીતે કરી રહ્યું છે અને તમામ રેટિંગ એજન્સીઓએ તેને મંજૂરી પણ આપી છે. હિંડનબર્ગના અસાર ગ્રૂપની મોટાભાગની કંપનીઓ બહાર આવી છે અને ફરી રેકોર્ડ બિઝનેસ કરી રહી છે.

ગૌતમ અદાણી માટે 2023નું વર્ષ ખરાબ રહ્યું

નોંધનીય છે કે 2023 ની શરૂઆતમાં, 24 જાન્યુઆરીએ, નાથન એન્ડરસનની આગેવાની હેઠળની અમેરિકન ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથ પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં તેણે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આક્ષેપો કર્યા હતા. આ રિપોર્ટમાં 88 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપની 7 મોટી લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય 85 ટકાથી વધુ છે. એટલું જ નહીં, અદાણી ગ્રુપની તમામ કંપનીઓની લોન પર પણ સવાલો ઉભા થયા છે.

અદાણીને મોટું નુકસાન થયું હતું

જો કે, આ અહેવાલના પ્રકાશ થયા પછી તરત જ, અદાણી જૂથે એક નિવેદન જાહેર કરીને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પરંતુ આ હિંડનબર્ગના રોકાણકારોના સેન્ટિમેન્ટ પરના પ્રભાવને રોકી શક્યું નહીં અને અદાણીના શેરમાં સુનામી આવવાનું શરૂ થયું અને તેના કારણે અબજોપતિઓની યાદીમાં તેની રેન્કિંગ સાથે તેની નેટવર્થમાં ભારે ઘટાડો જોવા મળ્યો. એટલું જ નહીં, અદાણી ગ્રુપ માર્કેટ કેપમાં 150 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.