રશિયા-યુક્રેન યુદ્ધની અસરઃ મેટલના વધતા ભાવથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કર્યું

|

Mar 22, 2022 | 11:50 AM

છેલ્લા 20 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર સુરતના વેપાર ઉદ્યોગ પર પડી રહી છે. ધાતુના ભાવમાં સતત વધારાને કારણે જરી ઉદ્યોગને પ્રતિકૂળ અસર થઈ રહી છે. જેના કારણે 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કરી દીધું છે.

રશિયા-યુક્રેન યુદ્ધની અસરઃ મેટલના વધતા ભાવથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કર્યું
80 percent of Surat's Zari industrialists stop production due to rising metal prices (File Image)

Follow us on

સુરતના જરીના કારખાનાઓમાં સામાન્ય રીતે હોળીમાં ત્રણથી ચાર દિવસનું વેકેશન હોય છે, પરંતુ આ વર્ષે 10 દિવસનું વેકેશન છે. કહેવાય છે કે છેલ્લા 20 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia-Ukraine War )કારણે સોના-ચાંદી, તાંબુ અને યાર્નના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ભાવ વધવાના કારણે જરીના ખર્ચમાં પણ વધારો થયો છે. જો ઉદ્યોગકારો (Entrepreneurs)આ વધેલા ભાવે કાચો માલ ખરીદીને તેને જરી બનાવીએ અને થોડા દિવસોમાં ભાવ નીચે આવી જાય તો મોટું નુકસાન થઈ શકે છે. તેથી સુરતના મોટાભાગના જરી ઉદ્યોગકારોએ (Zari Industry)ઉત્પાદન બંધ કરી દીધું છે. માત્ર 20-25 ટકા એકમોમાં ઉત્પાદન થઈ રહ્યું છે.

સામાન્ય રીતે હોળીના તહેવાર પર જરીના કારખાનાઓમાં બે થી ત્રણ દિવસની રજા હોય છે, પરંતુ હાલની સ્થિતિમાં જરી ઉદ્યોગકારોએ 10 દિવસની રજા રાખી છે. જરી એસોસિયેશનના અગ્રણીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોના ઉદ્યોગસાહસિકો પણ મોંઘી કિંમતે જરી ખરીદવાનો ઇન્કાર કરી રહ્યા છે. સુરતમાં જરીના 2000 જેટલા કારખાના છે, પરંતુ હાલમાં માત્ર 400 ફેક્ટરીઓ જ ઉત્પાદન કરી રહી છે. સાથે સાથે યુદ્ધના કારણે વાહનના ભાવમાં થયેલા વધારાને કારણે રફ લૂપ્સના ભાવમાં વધારો થતાં કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને પણ અસર થઈ છે.

ગયા વર્ષે કમોસમી વરસાદના કારણે કપાસના વાવેતરને નુકસાન થતાં કપાસના ભાવમાં બે ગણો વધારો થયો હતો. સિલ્કની કિંમત ₹3,500 પ્રતિ કિલોથી વધીને ₹27,000 થઈ જતાં સાડીઓની કિંમતમાં પણ વધારો થયો હતો. આવી સ્થિતિમાં, માગ પર અસરને કારણે, સિલ્ક સાડી બનાવતા દક્ષિણ ભારતના વણકરોએ સાડી બનાવવાનું બંધ કરી દીધું. જેના કારણે જરી ઉદ્યોગને પણ માઠી અસર થઈ હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દક્ષિણ ભારતમાં સુરતની જરીની માગ ઘટી

સુરતમાં જરી ઉદ્યોગનો ઈતિહાસ ઘણો જૂનો છે. જે રીતે આજકાલ સુરતમાં કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગનો દબદબો છે. એ જ રીતે થોડા વર્ષો પહેલા સુરતની જરીની દેશ-વિદેશમાં ઘણી માગ હતી. તાજેતરમાં, કર્ણાટક, ચેન્નાઈ અને અન્ય રાજ્યોમાં સુરતની જરીની ખૂબ માગ છે. આ સિવાય દિલ્હી, વારાણસીમાં પણ તેની માગ છે. સોનું, ચાંદી અને તાંબુ વગેરે ધાતુઓના ભાવમાં વધારો થવાને કારણે દક્ષિણ ભારતમાં સુરતની જરીની માગ ધીમે ધીમે ઘટી રહી છે. જરીના ઉદ્યમીઓ પહેલાથી જ કોરોનાને કારણે પરેશાન હતા, છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદ બિઝનેસમાં સુધારો થઈ રહ્યો હતો કે ધાતુઓની સતત વધી રહેલી કિંમતોએ નવી સમસ્યા ઊભી કરી છે.

એક તરફ અન્ય રાજ્યોના વેપારીઓ પેમેન્ટ નથી આપતા તો બીજી તરફ નવા ઓર્ડર આપતા પણ ડરતા હોય છે. ખાસ કરીને નાના અને મધ્યમ જરી સાહસિકો માટે, તેમના વ્યવસાયને ચાલુ રાખવા એ એક પડકાર બની ગયું છે.

આ પણ વાંચો-

Rajkot: ધોરાજીના ખેડૂતે કરી ચંદનની સફળ ખેતી, સોશિયલ મીડિયાથી મેળવ્યુ માર્ગદર્શન

આ પણ વાંચો-

Jamnagar: હાપા માર્કેટિંગ યાર્ડ રાઇની આવકથી ઊભરાયુ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ

Next Article