જીવનમાં સફળતા મેળવવા માગતા લોકોએ મુકેશ અંબાણીની આ પાંચ વાતો યાદ રાખવી જોઈએ. ખાસ કરીને બિઝનેસ કરનારા લોકોએ આ વાતને પોતાના મેનેજમેન્ટમાં ઉતારવી જોઈએ જેના લીધે ફાયદો થઈ શકે.
મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. એશિયાના 5 સૌથી અમીર લોકોમાં પણ મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે.
1. સારી ટીમની પસંદગી
સારી સફળતા માટે એક જવાબદાર વ્યક્તિએ સારી ટીમની પસંદગી કરવી જોઈએ. આથી સારા લોકો તમારા માટે પોતાનું સમજીને મહેનત કરશે. આ મુદ્દો સફળતા મેળવવા માટે ખાસ જરુરી છે.
2. હંમેશા પોઝીટીવ રહો
તમે ગમે તે કામ કરો ત્યારે પોઝિટીવ રહેવું જરુરી છે. આ પોઝિટીવના ધ્યેયની સાથે કામ કરવાથી સફળતા મળે છે. ઘણાં નેગેટિવ લોકો હશે પણ તેને અવગણીને તમારે આગળ વધવાનું છે.
3. અસફળતાથી ડરો નહીં
જીવનમાં દરેક વ્યક્તિની હાર-જીત તો થઈ હતી. આમ નિષ્ફળતાથી ડરવું ના જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ.
4. શું લક્ષ્ય છે તેનું ધ્યાન રાખવું જોઈએ
સૌથી મોટો મંત્ર એ છે કે કોઈપણ કામ કરતાં પહેલાં તમને ખબર હોવી જોઈએ કે તમારું લક્ષ્ય શું છે?. આ કારણે જ તમને ધીમે-ધીમે સફળતા મેળવવામાં મદદ મળશે.
5. સપના જુઓ
મોટા સપના જોવાનું મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરુભાઈ અંબાણી પાસે શીખ્યું હતું. 500 રુપિયાનો ફોન દેશમાં દરેક લોકોમાં હાથમાં તેણે પહોંચાડ્યો હતો અને એક નવી ક્રાંતિ લાવી દીધી હતી. આમ મુકેશ અંબાણીની જિંદગીમાંથી આ પાંચ વાતો શીખવા લાયક છે જેના દ્વારા સફળતા મળી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:56 am, Wed, 15 May 19