છટણીને લઈને 1,400 કર્મચારીઓએ Google ના CEO ને લખ્યો પત્ર, કરી આ માંગ

Google પેરેન્ટ આલ્ફાબેટ ઇન્કના લગભગ 1,400 કર્મચારીઓએ છટણી પ્રક્રિયા દરમિયાન ગૂગલના સીઇઓને પત્ર લખ્યો છે, પત્ર લખી અમુક માંગ કરી છે, ઉલ્લેનીય છે કે જાન્યુઆરી મહિનામાં જ આલ્ફાબેટે તેના 6 ટકા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી.

છટણીને લઈને 1,400 કર્મચારીઓએ Google ના CEO ને લખ્યો પત્ર, કરી આ માંગ
Google CEO Sundar Pichai
| Edited By: | Updated on: Mar 23, 2023 | 2:21 PM

Google પેરન્ટ આલ્ફાબેટ ઇન્કના લગભગ 1,400 કર્મચારીઓએ છટણી પ્રક્રિયા દરમિયાન કર્મચારીઓને વધુ સારી રીતે ટ્રિટમેન્ટ માટે એક પિટિશન પર સાઇન કરી છે. કંપનીએ 12,000 નોકરીઓમાં કાપની જાહેરાત કર્યા બાદ કર્મચારીઓએ ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં કર્મચારીઓએ તેમની અનેક માંગણીઓ રજૂ કરી છે. આમાં પહેલી માંગ એ છે કે જ્યાં સુધી સોર્ટિંગ પ્રક્રિયા ન થાય ત્યાં સુધી નવી ભરતી પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ સિવાય, કોઈને પણ નોકરીમાંથી કાઢી નાખતા પહેલા અથવા નોકરી પર કામ કરવાનો સમયગાળો ઘટાડતા પહેલા, તેમને એકવાર પૂછવું જોઈએ. કર્મચારીઓએ પત્રમાં જણાવ્યું છે કે ભરતી સમયે જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેમને પ્રાથમિકતા આપવી જોઈએ, નોકરીનો નિર્ધારિત સમયગાળો સમાપ્ત થવા દેવો જોઈએ, ઉપરાંત માતા-પિતાની નિધન જેવી સ્થિતી સમયે શોકના સમયગાળા દરમિયાન રજા લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.આ સમયગાળા દરમિયાન પગાર મળવો જોઈએ.

કર્મચારીઓની સંખ્યામાં લગભગ 6 ટકાનો ઘટાડો

પત્રમાં કહેવામાં આવ્યું છે કે આલ્ફાબેટના કર્મચારીઓની છટણીના નિર્ણયની અસર વૈશ્વિક છે. આ સિવાય ક્યાંય પણ કર્મચારીઓના અવાજને યોગ્ય ગણવામાં આવ્યો નથી. રોગચાળા પછીની મંદીમાં ખર્ચ ઘટાડવા રોકાણકારોના દબાણને પગલે કંપની તેના કર્મચારીઓમાં લગભગ 6 ટકાનો ઘટાડો કરશે. Meta Platforms Inc, Amazon.com Inc અને Microsoft એ ટેક જાયન્ટ્સમાં સામેલ છે જેમણે વર્ષોની વૃદ્ધિ અને ભરતી પછી તાજેતરના મહિનાઓમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

ગૂગલ પર મોટાપાયે છટણી

તમને જણાવી દઈએ કે ગૂગલ સારા વર્ક કલ્ચર, સેલેરી પેકેજ, બેટર કેરટેક અને કર્મચારીઓને ઘણી સુવિધાઓ આપવા માટે જાણીતું છે.તાજેતરના સમયમાં, Google માં કર્મચારીઓની છટણી મોટા પાયે થઈ છે. જાન્યુઆરી મહિનામાં જ આલ્ફાબેટે તેના 6 ટકા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી.